SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ श्री सङ्घाचार भाष्यम् અર્થાત્ પંચાંગી પ્રણિપાત પણ મુદ્રા છે. पञ्चाङ्यामपि मुद्रात्वं - अङ्गविन्यासविशेषरूपत्वात् योगमुद्रावद् પંચાંગી નમસ્કારમાં મુદ્રાપણું અનુમાનથી સિદ્ધ થાય છે. તે અનુમાન ઉપર પ્રમાણે છે. પંચાંગી પણ મુદ્રા છે કારણકે તેમાં પણ અંગ વિન્યાસ વિશેષ કરવામાં આવે છે. જેમ યોગમુદ્રામાં અંગવિન્યાસ કરવામાં આવે છે તેથી તે મુદ્રા તરીકે પ્રસિદ્ધ છે તેમ પંચાંગી પણ અંગવિન્યાસને કારણે અર્થાત્ અંગની રચના વિશેષને કારણે મુદ્રા કહેવાય છે. શકા- તમે જો આ રીતે પંચાંગીને પણ મુદ્રા કહેશો તો અહીંયા જેનો અધિકાર છે તે મુદ્રાત્રિક ત્રણ હોવાથી સંખ્યાનો વિઘાત થશે. એટલે મુદ્રાની કહેલી ત્રણ સંખ્યા ઘટશે નહિ, કારણકે પંચાંગી મુદ્રા આ મુદ્રાન્નિકમાં ઉમેરાતા મુદ્રાઓ ચાર થશે. સમાધાન : પંચાંગીને મુદ્રા ગણતા અહીંયા મુદ્રાની સંખ્યાનો વિઘાત નથી, કારણકે તમને અભિપ્રાયનું જ્ઞાન નથી. અહીંયા જે મુદ્રાની ત્રણ સંખ્યા ગણવામાં આવી છે તે સૂત્રના ઉચ્ચારણ વખતે કરવામાં આવતી મુદ્રાની છે. આ જ મુદ્રાને મૂળ મુદ્રા તરીકે ગણવામાં આવેલી છે. મુકુટ મુદ્રા, અંજલિ મુદ્રા અને પંચાંગી મુદ્રા તે મૂળ મુદ્રા રૂપે નથી પરંતુ તે પ્રણામ સમયે કરાતી મુદ્રા છે. આથી જ મૂળમુદ્રાની સંખ્યામાં વ્યાધાત નથી આવતો. पी करयलपरिग्गहियं सिरसावत्तं दसनहं मत्थए अंजलिं कट्ट एवं वयासी“બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, આવર્ત કરીને મસ્તક ઉપર અંજલિ સ્થાપીને આ પ્રમાણે બોલે છે.” આવું જે કહેવામાં આવ્યું છે ત્યાં એવું સમજવાનું છે કે સંપૂર્ણ સૂત્રનો ઉચ્ચાર મસ્તક પર અંજલિ રાખીને નથી કરાતો. પરંતુ સૂત્રોચ્ચારની આદિમાં વિનયવિશેષને બતાવવા માટે મસ્તક પર અંજલિ સ્થાપવામાં આવે છે. રાજાઆદિને પણ જ્યારે વિનંતી કરવામાં આવે છે ત્યારે આદિમાં મસ્તકે અંજલિ જોડવામાં આવે છે પરંતુ તેવીજ રીતે હાથ રાખીને રાજાને વિનંતી નથી કરવામાં આવતી. તેમજ મંતિ ક્વં વાસી- અહીંઝુવી માં હત્ત્વ પ્રત્યય હોવાથી અંજલિ નમસ્કારની ક્રિયા તથા સુત્રોચ્ચારણની ક્રિયા પણ ભિન્ન ભિન્ન જણાય છે, કારણકે ત્ની પ્રત્યય અહીંયા પૂર્વ કાળમાં થવાવાળી નમસ્કારની ક્રિયાનો વાચક છે અને આ જ હત્ત્વ પ્રત્યય ઉત્તરકાળમાં થવાવાળી સૂત્રોચ્ચારની ક્રિયાનો સૂચક છે. આમ, આ રીતે અંજલિ નમસ્કારની ક્રિયા સૂત્રોચ્ચાર સમયે સિદ્ધ થતી નથી. અંજલિ નમસ્કારની ક્રિયા તથા સૂત્રોચ્ચારની ક્રિયા બંને ભિન્ન કાળ થવા વાળી છે, તેનું બીજું પ્રમાણ એ છે કે ક્ષ નિમીત્ય રતિ ની જેમ સમાન કાલીક તુલ્ય કર્તાઅહીં નથી. અર્થાત્ ક્ષનિમીત્યદક્ષતિ માં આંખ બંધ કરવાની અને હસવાની ક્રિયા બંને એક જ કાળે થાય છે અને તેને નિમીત્યાઃ મેડસ્તુન્ય વર્તુ( વં,
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy