________________
ઉ૪
અધ્યાત્મસાર તેમ કોઈ મુનિ કેશ-લોચાદિ સંયમની ક્રિયાઓ કરતો હોય તો પણ, જો ચિત્તમાં દંભનો પરિણામ પડ્યો હોય, તો તેની ક્રિયાઓ દોષવાળી થાય છે; અને જેની અતિ દંભી પ્રકૃતિ હોય તો તેના સર્વ સંયમના આચારો પણ સંસારવૃદ્ધિનું કારણ બને છે. ll૩-પા અવતરણિકા :
દંભનું સેવન છોડવું અતિ દુષ્કર છે, તે બતાવવા માટે કહે છે –
सुत्यजं रसलाम्पट्यं, सुत्यजं देहभूषणम् ।
सुत्यजा: कामभोगाश्च, दुस्त्यजं दम्भसेवनम् ।।६।। અન્વયાર્થ :
રસતીપૂર્ચ સુચવું, રેમ્પvi સુગં રસની લમ્પટતા છોડવી સહેલી છે, દેહનું ભૂષણ છોડવું સહેલું છે કામમાર્ચ સુત્યનાર, રુક્ષ્મસેવનં દુર્યનમ્ અને કામભોગો છોડવા સહેલા છે, પરંતુ) દંભસેવન છોડવું દુષ્કર છે. II3-9 શ્લોકાર્ચ -
રસનું લામ્પત્ય છોડવું સહેલું છે, દેહનું ભૂષણ છોડવું સહેલું છે અને કામભોગો છોડવા સહેલા છે, પરંતુ દંભસેવન છોડવું દુષ્કર છે. la-વા ભાવાર્થ :
કોઈ જીવને આત્મકલ્યાણની ભાવના થાય, તો તે ભાવનાના બળથી રસલપટટ્ય આદિ ભાવો છોડી શકે છે, પરંતુ દંભનું સેવન ચિત્તનો ધર્મ હોવાથી છોડવો અતિ દુષ્કર છે; માટે જીવ અતિ સાવધાન ન થાય તો દંભનો પરિણામ ત્યજી ન શકે. કારણ કે જો ચિત્ત તત્ત્વથી વાસિત ન હોય તો જગતમાં પોતે હીન ન દેખાય તેવી મનોવૃતિ અંદરમાં પડેલી હોવાને કારણે, જીવને દંભનો પરિણામ ગમે ત્યારે સ્પર્શી શકે છે. આથી જ દંભનો ત્યાગ કરવો દુષ્કર છે. માટે હિતાર્થીએ અત્યંત સાવધાન થઈને દંભના ત્યાગ માટે યત્ન કરવો જોઈએ. ll૩-કા અવતરણિકા :
દંભ સેવનારને શું પ્રાપ્ત થાય છે ? તે બતાવતાં કહે છે -