SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર अतो मार्गप्रवेशाय, व्रतं मिथ्यादृशामपि । द्रव्यसम्यक्त्वमारोप्य, ददते धीरबुद्धयः । । १७ ।। ૪૪ અન્વયાર્થ : અતઃ આથી કરીનેસદાશયને કારણે અશુદ્ધ પણ ક્રિયા શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે આથી કરીને, મિથ્યવૃશાન્ સપિ મિથ્યાદ્દષ્ટિઓને પણ માર્ગપ્રવેશાય માર્ગપ્રવેશ માટે દ્વવ્યસમ્યવત્ત્વમ્ ગારો દ્રવ્યસમ્યક્ત્વનું આરોપણ કરીને ધીરવુદ્ધયઃ વ્રતં તે ધીર બુદ્ધિવાળા વ્રતને આપે છે. II૨-૧૭ના નોંધઃ “ધીરવુદ્ધયઃ” શાસ્ત્ર પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવાની જેઓની મતિ છે તેવા સાધુઓ, કેવલ શિષ્યના હિત માટે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરવારૂપ શિષ્યને દીક્ષા આપે છે, તેઓ ધીર બુદ્ધિવાળા છે. શ્લોકાર્થ = સદાશયને કારણે અશુદ્ધ પણ ક્રિયા શુદ્ધ ક્રિયાનો હેતુ છે, આથી કરીને મિથ્યાદષ્ટિને પણ માર્ગપ્રવેશ માટે દ્રવ્યસમ્યક્ત્વનું આરોપણ કરીને ધીરબુદ્ધિવાળા વ્રતને આપે છે. ||૨-૧૭] ભાવાર્થ: સદાશય હોવાને કારણે અશુદ્ધ પણ ક્રિયા શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે, આથી કરીને જ મિથ્યાદ્દષ્ટિ જીવને પણ વ્રત આપવાની વિધિ છે. કેમ કે મંદ મિથ્યાત્વ અવસ્થામાં મિથ્યાદ્દષ્ટિ જીવ અશુદ્ધ ક્રિયા કરતો હોવા છતાં પણ, તત્ત્વના તીવ્ર પક્ષપાતરૂપ સદાશય હોવાથી, તેની અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે. તેથી ધીરબુદ્ધિવાળા એવા સાધુ-મહાત્માઓ વ્રત લેવાને અભિમુખ થયેલા મિથ્યાદૃષ્ટિને, દ્રવ્યસમ્યક્ત્વનું આરોપણ કરીને દેશિવરિત કે સર્વવિરતિરૂપ વ્રતો આપે છે; જેથી પરિણામે તે ક્રિયાઓ દ્વારા મિથ્યાત્વ મંદ-મંદતર થવાથી સમ્યગ્દર્શનરૂપ માર્ગની પ્રાપ્તિ થાય છે. II૨-૧૭॥ અવતરણિકા : શ્લોક-૧૭ માં કહ્યું કે મિથ્યાદષ્ટિને પણ ધીરબુદ્ધિવાળા વ્રત આપે છે. તેથી કેવા પ્રકારના મિથ્યાદૃષ્ટિને વ્રત આપવું જોઈએ ? તે બતાવતાં કહે છે -
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy