________________
રૂપ
અધ્યાત્મસ્વરૂપાધિકાર (૪) પ્રતિપિત્યું -
વિવેકપૂર્વક ધર્મને પૂછતાં પૂછતાં “યોગ્ય ધર્મને મારે જીવનમાં સ્વીકારવો છે,” આવી જાતની તીવ્ર મનોવૃત્તિ જેને થાય છે તે પ્રતિપિત્રુ' કહેવાય છે.
જો કે ધર્મ પૂછનારને ધર્મનું પૂરું મહત્ત્વ હોવાના કારણે ધર્મને સ્વીકારવાની ઈચ્છા તો છે, તો પણ પૂછનાર જીવ કરતાં સ્વીકારની ભૂમિકાને પામેલ જીવમાં ધર્મને સ્વીકારવાનો તીવ્ર પરિણામ હોય છે, અને તેને આ તાત્ત્વિકધર્મ જ મારે સ્વીકારવો છે તેવી બળવાન આકાંક્ષાનો પ્રાદુર્ભાવ થાય છે, અને તે જીવ પૂર્વની ગુણશ્રેણીને પામેલ જીવ કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.
(૫) સૃનન્ :- વિવેકપૂર્વક ધર્મને પૂછતો જીવ જ્યારે ધર્મ સાંભળે છે ત્યારે ગુરુ પાસેથી સાચો ધર્મ સ્વીકારવાનો જેને પરિણામ થાય છે તે “પ્રતિપિલ્સ” છે. અને આવો જીવ ધર્મ સાંભળી ગુરુ પાસે સમ્યગ્દર્શનને સ્વીકારતો હોય અને તઅર્થક ઉચિત પ્રતિજ્ઞાને કરતો હોય તેને અહીં “મૃગન” થી ગ્રહણ કરેલ છે. પ્રતિપિલ્સ કરતાં ધર્મને સ્વીકારતો= સમ્યગ્દર્શન પામતો, જીવ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. (૬) પૂર્વ પ્રતિપત્ર ન :
જે જીવ સમ્યગ્દર્શનની પ્રતિજ્ઞા કરતો હોય તેના કરતાં પણ જે જીવ સમ્યગ્દર્શન પૂર્વમાં પામેલ હોય તે અસંખ્યાતગુણ નિર્જરા કરે છે, અને તે પૂર્વપ્રતિપન્ન સમ્યગ્દર્શનવાળો છે, જેને અહીં છઠા ભેદથી ગ્રહણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દર્શન સ્વીકારતી વખતે જે અધ્યવસાય છે તેના કરતાં જે જીવ સમ્યગ્દર્શન પહેલાં પામેલો છે તેનો અધ્યવસાય વિશુદ્ધ છે. તેથી તેને અસંખ્યાતગુણ નિર્જરા કહેલ છે.
અહીં સમ્યગ્દર્શન સ્વીકારનારમાં પણ જેઓ ભાવથી સમ્યગ્દર્શન પામતા હોય તેમને જ ગ્રહણ કરવાના છે, અને સમ્યગ્દર્શન પામેલામાં પણ જેઓ ભાવથી સમ્યગ્દર્શન પામેલા હોય તેમને જ ગ્રહણ કરવાના છે.
(૭) શ્રાદ્ધ :
દેશવિરતિવાળો શ્રાવક પૂર્વપ્રતિપત્રદર્શન શ્રાવક કરતાં અસંખ્યાતગુણ નિર્જરા કરે છે.