________________
અધ્યાત્મસાર
अपुनर्बन्धकाद्यावद्-गुणस्थानं चतुर्दशम् ।
क्रमशुद्धिमती तावत्, क्रियाऽध्यात्ममयी मता ॥४॥ અન્વયાર્થ :
૩પુનર્વત્થાત્ ચતુર્દશમ્ ગુરથાનં ચાવત્ અપુનબંધકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી મશુદ્ધિમતી ટ્રિક્યા ૩ધ્યાત્મમથી ક્રમસર શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમયી મતા= મનાયેલી છે=કહેવાઈ છે. ર-ાા
* આ શ્લોકમાં તાવત્ વાક્યાલંકારમાં છે અને “ચતુર્દશ અચાને મર્યાદાઅર્થક દ્વિતીયા વિભક્તિમાં છે.
* “મતા' એ મન્ ધાતુનું ત() પ્રત્યય લાગીને મત અને સ્ત્રીલિંગનો ૩ (૩૫) પ્રત્યય લાગીને મતા થયેલું છે, મતા=મનાયેલી. શ્લોકાર્ચ -
અપુનબંધકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી ક્રમસર શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમયી કહેવાઈ છે. ર-કા ભાવાર્થ :
પ્રથમ ગુણી ગુણસ્થાનકમાં જીવ અપુનબંધક બને છે, અને ત્યારથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધી જે મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિ છે, તેમાં ધર્માનુષ્ઠાનરૂપ જે ક્રિયા છે, તે ક્રમસર ઉપર-ઉપરની ભૂમિકામાં અધિક-અધિક શુદ્ધ હોય છે; અને તે સર્વ ક્રિયા અધ્યાત્મમય છે. અને તેમાં અપુનબંધકથી માંડીને તેરમા ગુણસ્થાનક સુધીની ક્રિયાઓ પ્રવૃત્તિરૂપ હોય છે, અને ચૌદમાં ગુણસ્થાનકમાં યોગના નિરોધની ક્રિયા છે; અને આ દરેક ક્રિયાઓ આત્માના ગુણોને પ્રગટ કરવાનું કારણ છે, તેથી અધ્યાત્મમય છે; અને અપુનબંધક અવસ્થાની પૂર્વે સંયમાદિની ક્રિયા પણ આત્માની શુદ્ધિનું કારણ બનતી નથી, માટે અધ્યાત્મમય નથી. II-કા અવતરણિકા -
ગુણસંપન્ન અપુનબંધક અવસ્થાને પામેલા જીવને છોડીને, અન્ય અપુનબંધક કે અપુનબંધક અવસ્થા નહિ પામેલા જીવોની તપ-સંયમની ક્રિયા પણ અધ્યાત્મની વિરોધી થાય છે, તે બતાવતાં કહે છે –