________________
૧૫
અધ્યાત્મમાહાભ્યાધિકાર અધ્યાત્મશાસ્ત્રથી અન્ય શાસ્ત્રને જાણનાર ક્લેશને અનુભવે છે એમ કહ્યું, તેનો ભાવ એ છે કે અન્ય શાસ્ત્રથી નિષ્પાદ્ય જ્ઞાન આત્માને કોઈ ઉપકારક થતું નથી, તેથી તેના અધ્યયન માટે કરેલા શ્રમથી તેને ક્લેશનો અનુભવ થાય છે; કેમ કે લોકમાં તેને જે માન-સન્માનાદિ મળે છે તે તેને તત્ત્વથી કોઈ સુખ આપતાં નથી. જોકે અધ્યાત્મશાસ્ત્રના જાણનારને અધ્યાત્મને પ્રાપ્ત કરવા માટે શ્રમ કરવો પડે છે, તો પણ તાત્ત્વિક સુખાસ્વાદરૂપ રસને તે અનુભવે છે, તેથી અધ્યાત્મશાસ્ત્રને મેળવવા માટે કરાતો શ્રમ રસના સ્વાદ આગળ અકિંચિકર છે. II૧-૧૮
भुजास्फालनहस्तास्य-विकाराभिनया: परे ।
अध्यात्मशास्त्रविज्ञास्तु, वदन्त्यविकृतेक्षणाः ।।१९।। અન્વયાર્થ : -
પરે બીજા=અધ્યાત્મશાસ્ત્રને નહીં જાણનારાઓ મુઝાત્રિનહરતાવિરામના ભુજાના અફાળવા દ્વારા હાથના વિકારરૂ૫ (અને) મુખના વિકારરૂપ અભિનયવાળા (બોલે છે.) ૩ધ્યાત્મશાસ્ત્રવિજ્ઞા. અધ્યાત્મશાસ્ત્રને જાણનારાઓ વિવૃત્તે તું વળી અવિકૃત દષ્ટિવાળા વત્તિ બોલે છે. ll૧-૧૯ાા શ્લોકાર્ધ :
અધ્યાત્મશાસ્ત્રને નહીં જાણનારાઓ ભુજાના આસ્ફાલન દ્વારા હાથના વિકારરૂપ અને મુખના વિકારરૂપ અભિનયવાળા બોલે છે. વળી અધ્યાત્મશાસ્ત્રને જાણનારાઓ અવિકૃત દૃષ્ટિવાળા બોલે છે. II૧-૧૯થા. ભાવાર્થ -
અધ્યાત્મશાસ્ત્રને નહિ જાણનારા એવા બીજાઓ પોતાની વિદ્વત્તા જગતને બતાવવાની ઈચ્છાવાળા હોય છે, તેથી તેઓ પોતાની વિદ્વત્તા ભુજાના આસ્ફાલન દ્વારા હાથના વિકારરૂપ કે મુખના વિકારો કરવારૂપ અભિનયોથી વ્યક્ત કરે છે.
જ્યારે અધ્યાત્મશાસ્ત્રના જાણનારાઓ જગતનાં તત્ત્વોને સમ્યગુ સમજેલા હોવાથી નિરાકાંક્ષી હોય છે, અને તેથી પોતાનું જ્ઞાન લોકોને બતાવવાના યત્નવાળા હોતા નથી; પરંતુ યોગ્ય જીવોને જ્યારે તેઓ સમજાવે છે ત્યારે અવિકૃત દૃષ્ટિથી બોલે છે, અર્થાતુ પોતાના જ્ઞાનને કારણે જેમની દૃષ્ટિમાં પોતાની વિદ્વત્તાની મહત્તાકૃત કોઈ વિકૃતિ થયેલી નથી, તેવા અવિકૃત દૃષ્ટિવાળા તેઓ કોઇ પણ અભિનય વગર કેવલ