SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ વૈરાગ્યવિષયાધિકાર શ્લોકાર્ચ - સદનુષ્ઠાન અસંગઅવસ્થાને પ્રાપ્ત કરે છતે હૃદયમાં મોક્ષવિષયક પણ લુબ્ધતા નથી. પુરુષની આ દશા સહજાનંદના તરંગથી સંગત કહેવાય છે. II૭૨પ ભાવાર્થ - વિષયો પ્રત્યે નિઃસ્પૃહ થયા પછી મુનિઓને ક્રમસર ઋદ્ધિઓ અને જ્ઞાનાદિ અતિશય પ્રગટે છે, અને પછી તો ગુણો પ્રત્યે પણ તેઓ ઉદાસીન બને છે. પરંતુ મોક્ષની ઈચ્છા બળવાન હોય છે, તેથી મોક્ષના ઉપાયભૂત ભગવદ્ વચનાનુસાર જ સદનુષ્ઠાનમાં તેઓ યત્નશીલ હોય છે. પરંતુ તે સદનુષ્ઠાન જ્યારે વચનાનુષ્ઠાનમાંથી અસંગઅનુષ્ઠાનને પામે છે, ત્યારે મોક્ષની ઈચ્છા પણ રહેતી નથી, પરંતુ ભવે મોક્ષે સમો મુનિઃ' એ અવસ્થાને પામે છે. પુરુષની આ દશા સહજ આનંદના તરંગથી સંગત છે એમ કહેવાય છે. એનો આશય એ છે કે, કોઈ અન્ય પદાર્થના સંયોગથી આનંદના તરંગો નથી, પરંતુ જીવનો સહજ સ્વભાવ પ્રવર્તવાને કારણે પેદા થતા આનંદના તરંગોવાળી આ દશા છે, અને તે વીતરાગભાવની અત્યંત આસન્નભાવવાળી દશા છે. વળી, પ્રાયઃ વિકલ્પ વગરની અવસ્થા છે, જેના બળથી જીવમાં પ્રતિભજ્ઞાન પ્રગટે છે, અને અંતે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ દ્વારા વીતરાગભાવનો આવિર્ભાવ થાય છે. I૭-૨પા इति यस्य महामतेर्भवे- दिह वैराग्यविलासभृन्मनः । - ૩પત્તિ વરતુપુષ્ય-સ્તમુવારપ્રવૃતિં યશય ારદા અન્વયાર્થ: રૂતિ આ રીતે પૂર્વ શ્લોકમાં કહ્યું એ રીતે, ફૂદ અહીં = સંસારમાં, વચ મહામતેઃ જે મહામતિનું મન: વૈરાથવિતાસમૃત્ ભવેત્ મન વૈરાગ્યના વિલાસથી ભરેલું હોય છે, કારપ્રવૃત્તિ તમ્ ઉદાર પ્રકૃતિવાળા તે મહામતિ) ને યશશ્ચય: યશરૂપી લક્ષ્મી ૩જો વરતુન્ ૩પત્તિ અત્યંત વરવા માટે આવે છે. ll૭-૨ફા
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy