SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ વૈરાગ્યવિષયાધિકાર સુખથી પોતાને પ્રાપ્ત થયેલો જન્મ સફળ માને છે. કારણ કે, તેઓને આ જન્મમાં મેળવવા લાયક સ્ત્રીના ભોગો જ દેખાય છે. તેથી તે ભોગો મળવાથી તેઓને પોતાનો જન્મ અર્થવતું દેખાય છે. જ્યારે યોગીઓને આવો જન્મ મહાઅનર્થરૂપ ભાસે છે. કારણ કે, કામ એ યોગીઓને મન સર્પતુલ્ય છે, અને કામના ભાવો તેમને વિષ જેવા દેખાય છે. જ્યારે તે વિષ જીવમાં વ્યાપ્ત થાય છે, ત્યારે તે જીવ તત્ત્વનો વિચાર કરતો નથી અને મૂર્છાવાળો બને છે. અને તેથી ભોગમાં પ્રવૃત્ત એવો આ જન્મ યોગીઓને આવી મૂચ્છતુલ્ય ભાસે છે, માટે જ યોગીઓ કામના વિષથી બચવા માટે હંમેશાં તત્ત્વની વિચારણા કરવામાં યત્નશીલ બને છે. આમ, તેઓ સદા સ્પર્શનેન્દ્રિયથી વિરક્ત હોય છે. ll૭–૧૬ના અવતરણિકા : શ્લોક-૨માં કહેલ કે, અપરવૈરાગ્યવાળા યોગીઓને પ્રાપ્ત થયેલા વિષયોમાં વિરક્તભાવ હોય છે, અને શાસ્ત્રોથી સંભળાયેલા વિષયોમાં પણ વિરક્તભાવ હોય છે. ત્યાર પછી આલોકના વિષયોમાં યોગીઓને વિરક્તભાવ કેમ હોય છે, તે શ્લોક-૩ થી ૧૬માં બતાવ્યું. હવે તેનું નિગમન કરીને આનુશ્રાવિક વિષયોમાં અર્થાત્ શાસ્ત્રોથી સંભળાયેલા વિષયોમાં, પણ યોગીઓ નિઃસ્પૃહી કેમ હોય છે, તે બતાવે છે - तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः, परमानन्दरसालसा अमी ।।१७।। અન્વયાર્થ : - તત્ તે કારણથી શ્લોક-૩થી ૧૬ સુધીમાં બતાવ્યું કે પાંચે ઈન્દ્રિયોના સર્વ વિષયોમાં યોગીઓ ઈચ્છા વગરના હોય છે તે કારણથી, વિવેતસામ્ વિરક્ત ચિત્તવાળાઓને ત્નિ હિ? ખરેખર ઐહિક એવા રુ ડ િવિષય: આ કોઈ પણ વિષયો ન મુદ્દે આનંદ માટે થતા નથી. પરમાનન્ટરસતા ૩૧મી પરમાનંદમાં મગ્ન થયેલા એવા આ યોગીઓ પરત્નસુબ્રેડપિ નિરપૃદE પરલોકના સુખમાં પણ નિઃસ્પૃહી છે. ૭૧ના
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy