SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ વૈરાગ્યવિષયાધિકાર વર્તતા હોય છે. તેથી તે ગુણોરૂપી પુષ્પોથી પૂરિત એવી સુવિકલ્પરૂપ પથારીમાં તેઓ ઊંઘતા હોય છે ત્યારે, પોતાનામાં વીતરાગભાવને અનુકૂળ જે ભાવો વર્તી રહ્યા છે, તેનાથી આગળના ભાવોને પેદા કરવાની ધૃતિ તેમનામાં વર્તતી હોય છે. આવે સમયે વીતરાગનું સ્વરૂપ કે મુનિનું સ્વરૂપ કેવળ શબ્દોથી તેઓ વિચારતા નથી, પરંતુ વીતરાગભાવ કે મુનિભાવને અનુરૂપ પોતાનો ભાવ પણ કાંઈક ઉદ્ભવ પામે તે રીતે ધૈર્યપૂર્વક યત્ન કરતા હોય છે. આવા ઉત્તમ ભાવોનો અને એને અનુરૂપ ધૃતિનો સ્પર્શ તેમને અત્યંત આનંદદાયક ભાસે છે, તેથી બાહ્ય કોમળ પદાર્થોના કે સ્ત્રી આદિના સ્પર્શે તેમને અસાર અને તુચ્છ ભાસતા હોવાથી તેની ઈચ્છામાત્ર પણ થતી નથી. આમ, મહાત્માને સ્પર્શનેન્દ્રિય વિષયક વિરક્ત ભાવ હોય છે. II૭– 9811 અવતરણિકા : સામાન્ય રીતે સ્પર્શનેન્દ્રિયમાં સુંદર પુષ્પોથી પૂતિ એવી પથારી તથા સ્ત્રી આદિનો સંસર્ગ આનંદનો વિષય બને છે, પરંતુ યોગીઓનું ચિત્ત તેમાં કેમ નથી જતું, તે પૂર્વ શ્લોકમાં બતાવ્યું. હવે અન્ય પણ સ્પર્શ સંબંધી જે ચંદનના લેપની ક્રિયા કે સ્નાનની ક્રિયા જીવને સ્પર્શ સંબંધી આહ્લાદનું કારણ બને છે, તે પણ યોગી માટે આનંદપ્રદ નથી, તે બતાવવા કહે છે - हृदि निर्वृत्तिमेव बिभ्रतां, न मुदे चन्दनलेपनाविधिः । विमलत्वमुपेयुषां सदा, सलिलस्नानकलापि निष्फला ।। १५ ।। અન્વયાર્થ : દૈવિ નિવૃત્તિત્ વ વિગ્નતાં હૃદયમાં નિવૃત્તિને=નિર્વાણને, જ ધારણ કરતા એવા જીવને ચન્દ્રનલેવનાવિધિ: 7 મુદ્દે ચંદનના લેપની વિધિ=ક્રિયા, આનંદ માટે થતી નથી. સદ્દા વિમતત્વમ્ જ્ઞેયુાં સદા વિમલપણાને પ્રાપ્ત કરેલા યોગીઓને સલિલનાનવતાપિ નિતા પાણીથી સ્નાનની કલા=ક્રિયા, પણ નિષ્ફળ છે. II૭– * ૧૫ શ્લોકાર્થ : હૃદયમાં નિર્વાણને જ ધારણ કરતા અર્થાત્ સર્વ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ છે એવી શીતલતાને ધારણ કરતા એવા જીવને, ચંદનના લેપની ક્રિયા G-૧૮
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy