SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ વૈરાગ્યવિષયાધિકાર તે સ્થૂળથી સુખ કહી શકાય. વાસ્તવિક સુખ તો ખણજના મટવાથી થતા સુખને જ કહી શકાય. આથી જ તત્ત્વના જાણનારાઓને રસોનું સુખ સ્પષ્ટ સ્થૂલ સુખ દેખાય છે. આવો અનુભવ કોને થાય તે બતાવતાં કહે છે કે, જેનું મન સતત અવિકારી એવા શાંતરસમાં મગ્ન છે, તેને જ આ મધુર રસો નિઃસાર દેખાય છે. અને શાંતરસ એ નવ રસમાંથી નવમો નિષ્પાપ રસ છે, જ્યારે રસનેન્દ્રિયના મધુર રસો જીવોની હિંસાથી જ પ્રાપ્ત થતા હોવાથી તે સપાપ છે. તેથી જ જે મહાત્માને નવમા એવા શાંતરસનું દર્શન થયું છે, તેમને અસાર એવા ખાદ્ય પદાર્થોના રસોમાં કોઈ સારભૂતતા દેખાતી નથી, તેથી જ તે અસાર રસોથી તેઓનું ચિત્ત ઉન્મુખ થયેલું હોય છે. II૭-૧ણા मधुरं रसमाप्य निष्पतेद्रसनातो रसलोभिनां जलम् । परिभाव्य विपाकसाध्वसं, विरतानां तु ततो दृशोर्जलम् ।।१३।। અન્વયાર્થ : મધુર રસું પણ મધુર રસને પામીને રસોમનાં રસનાતિ: રસના લોભીઓની રસનામાંથી=જીભમાંથી, નનમ્ નિષત્ પાણી પડે છે=મોંમાં પાણી છૂટે છે. તત: તેનાથી=રસલોભીની જીભમાંથી, નીકળતા પાણીને જોવાથી, વિરતાનાં તુ વળી વિરતોને વિપરિસધ્ધાં રમાવ્ય (રસના) વિપાકની ભયાનકતાનો વિચાર કરીને શ: નર્તમ્ આંખમાંથી પાણી=અશ્રુ, નીકળે છે અર્થાત્ કરુણા પેદા થાય છે. I૭-૧૩ી. શ્લોકાર્ચ - મધુર રસને પામીને રસના લોભીઓની જીભમાંથી પાણી પડે છે=મોંમાં પાણી છૂટે છે. રસલોભીની જીભમાંથી નીકળતા પાણીને જોવાથી વળી વિરતોને રસના વિપાકની ભયજનકતાનો વિચાર કરીને આંખમાંથી અશ્રુ નીકળે છે, અર્થાત કરુણા પેદા થાય છે. I૭-૧૩ ભાવાર્થ - જેમની બુદ્ધિ તત્ત્વથી ભાવિત નથી થઈ, તેવા જીવોને પૌદ્ગલિક પદાર્થોમાં સુખ દેખાય છે. તેથી મધુર રસવાળા પદાર્થો જ્યારે તેમની ચક્ષુ સમક્ષ
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy