________________
અધ્યાત્મસાર
૨૩૨
તત્ત્વના પર્યાલોચનથી પાંચ ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે અનિચ્છા પેદા થાય છે, તે અપરવૈરાગ્ય નામનો પ્રથમ ભેદ છે, અને સર્વથા ઈચ્છાના અભાવથી ગુણોમાં પણ જ્યારે વૈરાગ્ય પેદા થાય છે, તે પરવૈરાગ્ય નામનો બીજો ભેદ છે. ll૭-૧
विषया: करणैरुपस्थिताऽपि चानुश्राविकाः विकारिणः ।
न भवन्ति विरक्तचेतसां, विषधारेव सुधासु मज्जताम् ।।२।। અન્વયાર્થ:
સુધા! મન્નતામ્ વિષધર ફુર સુધામાં મજ્જન કરતાને વિષધારાની જેમ વિરત વિરક્ત ચિત્તવાળાને પરવરિચતાડપિ ચાનુશ્રાવિ : વિષય ઈન્દ્રિયો વડે ઉપસ્થિત=પ્રાપ્ત થયેલા, અને વળી આનુશ્રાવિક=શાસ્ત્રના શ્રવણથી જાણેલા, વિષયો વિછારિ: મત્તિ વિકારી થતા નથી. Il૭-રા
* “આનુશ્રાવિક વિષયો' એટલે શાસ્ત્રના અનુશ્રવણ કે ગુરુમુખે સાંભળેલા અને પ્રત્યક્ષ નહીં- એવા દેવગતિ આદિના વિષયો. શ્લોકાર્ચ -
સુધામાં મજ્જન કરતાને વિષધારાની જેમ, વિરક્ત ચિત્તવાળાને ઈન્દ્રિયો વડે પ્રાપ્ત થયેલા અને વળી શાસ્ત્રના શ્રવણથી જાણેલા વિષયો વિકારી થતા નથી. Il૭-ચા ભાવાર્થ :
જેમ અમૃતનો વિષની ધારા સાથે વિરોધ છે, તેથી અમૃતમાં મજ્જન કરનારને વિષનો વિકાર નાશ પામી જાય છે તે રીતે વિરક્ત ચિત્તવાળાને પાંચેય ઈન્દ્રિયોને ઉપલબ્ધ થનારા વિષયો વિકારને કરતા નથી.
વળી, શાસ્ત્રના અનુશ્રવણ કે ગુરૂમુખેથી અનુશ્રવણ દ્વારા પ્રાપ્ત એવા દેવગતિ આદિના વિષયો પણ વિકારી થતા નથી. તત્ત્વના પર્યાલોચનથી આત્મિક ગુણો પ્રત્યે જ જેનું ચિત્ત આવર્જિત થયું છે, તેનું ચિત્ત વિષયો પ્રત્યે વિરક્ત છે. તેથી ચિત્તમાં વિષયો પ્રત્યેની કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. II૭-શા અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે, પાંચ ઈન્દ્રિયો વડે ઉપસ્થિત એવા વિષયો વિરક્ત