________________
૨૧૯
વૈરાગ્યભેદાધિકાર એકેક નયોના વચનને જૈનદર્શનમાં યોજન કરી શકતા નથી; અને માત્ર એક જ માને છે કે અન્યદર્શનનાં કથનો એકાન્તવાદરૂપ હોવાથી સર્વથા અસત્યરૂપ છે. એવા અગીતાર્થને સંસારની નિર્ગુણતાના જ્ઞાનને કારણે વૈરાગ્ય હોય તો પણ તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નથી. કેમ કે જૈનદર્શનના નયસાપેક્ષના બોધપૂર્વકનો તેનો વિરક્ત ભાવ નથી. II૬-૩૬ાા
नयेषु स्वार्थसत्येषु, मोघेषु परचालने ।
माध्यस्थ्यं यदि नायातं, न तदा ज्ञानगर्भता ।।३७।। અન્વયાર્થ :
સ્વાર્થસત્યે પોતાના અર્થમાં સત્ય અને) પરવાતને મોઘેણુ પર ચાલનમાં= પરવિચારણામાં, નિષ્ફળ એવા નવુ નયોમાં જો મધ્યરચે મધ્યસ્થપણું નાયાત આવેલું ન હોય, તરા તો (તેવા જીવના વૈરાગ્યમાં) જ્ઞાનર્મિતા ન જ્ઞાનગર્ભતા નથી. II૬-૩૭માં શ્લોકાર્ચ -
પોતાના અર્થમાં સત્ય અને પરવિચારણામાં નિષ્ફળ એવા નયોમાં જો મધ્યસ્થપણું ન આવેલું હોય, તો તેવા જીવના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી. II૬-૩૭ના ભાવાર્થ :
દરેક નય પોતપોતાના સ્થાનમાં જે પદાર્થ કહે છે તે પદાર્થ સાચો હોય છે, પરંતુ તે જ નય અન્ય નયના સ્થાનમાં વિચારણા કરવા અસમર્થ છે. તેથી જે આત્માને નયોની મધ્યસ્થતા હોય તે આત્મા, જે સ્થાનમાં જે નયની ઉપયોગિતા હોય તે સ્થાનમાં તે નયને જ યોજે છે, પરંતુ અન્ય સ્થાનમાં તે નયને યોજતો નથી.
સ્યાદ્વાદી દરેક નયને માને છે, છતાં જ્યારે આત્માને અનિત્ય પદાર્થ બતાવીને વૈરાગ્ય ભાવના કરવાની હોય, ત્યારે પર્યાયાસ્તિકનયને અવલંબીને જ પરિણામમાં યત્ન કરે છે; અને જ્યારે શાશ્વત એવા આત્માના હિત માટે પ્રયત્ન કરવાની પ્રવૃત્તિને દઢ બનાવવાની આવશ્યકતા હોય, ત્યારે દ્રવ્યાસ્તિકનયનું જ અવલંબન લઈને “પોતે શાશ્વત છે' એ પ્રકારના પરિણામમાં યત્ન કરે છે. આવી મધ્યસ્થતા હોવાને કારણે સ્યાદ્વાદી દરેક નયોને ઉચિત સ્થાને યોજીને આત્મહિત સાધે છે.