SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ વૈરાગ્યભેદાધિકાર જેઓ રોજ માંસ ખાતા હોય તેઓને તે જ રીતે અભ્યાસ હોવાથી માંસ ખાદ્ય પદાર્થરૂપે જ દેખાય છે. તેથી જે વસ્તુને જે રીતે જોવાનો ઘણો અભ્યાસ થયો હોય, તો સહજ રીતે તે પદાર્થ તે પર્યાયથી જ ઉપસ્થિત થાય છે. તેમ બુધ પુરુષને પણ તેવા પ્રકારના અભ્યાસને કારણે કોઈ એક પર્યાયથી પદાર્થની ઉપસ્થિતિ થાય તો પણ, સ્યાદ્વાદના બોધવાળો હોવાથી તે જાણતો હોય છે કે પુરોવર્સી પદાર્થ અનંત ધર્માત્મક છે. આમ છતાં પુરોવર્સી માંસને જોઈને, “આ જુગુપ્તનીય છે એ પ્રકારનો વચનપ્રયોગ તે એક જુગુપ્સનીય પર્યાયને આશ્રયીને કરે છે; તો પણ તે જાણે છે કે દેખાતું માંસ માત્ર જુગુપ્સનીય પર્યાયવાળું નથી, પરંતુ અનંત ધર્માત્મક છે. સ્વકાર્ય - કોઈ જીવને પાણી ભરવા માટેનું સાધન આવશ્યક હોય ત્યારે, પાણીને ભરવારૂપ કાર્યને ઉદ્દેશીને ઘટરૂપ એક પર્યાયનો આશ્રય કરે છે; અને કોઈકને કહે છે કે “ત્યાં પડેલા ઘટને લઈ આવો” ત્યારે પણ સ્યાદ્વાદને જાણનાર જીવ તે ઘટરૂ૫ પદાર્થને અનંત ધર્માત્મક જાણે છે. આ ઉપરાંત “સ્વાતિ માં આદિ પદથી વિરક્ષા, જિજ્ઞાસા આદિનું ગ્રહણ કરવાનું છે. જેના અર્થ નીચે પ્રમાણે છે - વિવક્ષા :- સ્યાદ્વાદને જાણનારો બુધ પુરુષ પણ કોઈ વિવલાથી કહે કે “આ નદી નાની છે, ત્યારે તે નદી કોઈકની અપેક્ષાએ નાની હોવા છતાં તે જાણતો હોય છે કે કોઈક અપેક્ષાએ આ નદી મોટી પણ છે. વળી તે નદીરૂપ પદાર્થ પણ અનંતધર્માત્મક છે, તો પણ વિવફા વિશેષથી તે નદીને નાની કહે છે, ત્યારે તે એક પર્યાયનો આશ્રય કરે છે. જિજ્ઞાસા:- પોતાનું આત્મહિત સાધવાની જિજ્ઞાસા હોય ત્યારે, કોઈ એમ કહે કે આપણે શાશ્વત છીએ માટે શાશ્વત આત્માની ચિંતા કરવી જોઈએ, તે વખતે સ્યાદ્વાદને જાણનાર વ્યક્તિ અનંત ધર્માત્મક આત્માને જાણવા છતાં નિત્યસ્વરૂપ એક ધર્મનો આશ્રય કરે છે, ત્યારે પણ તે આત્માના સંપૂર્ણ અર્થને જાણે છે. આમ, આસત્તિ આદિને કારણે બુધ પુરુષ જ્યારે પદાર્થના કોઇ એક જ પર્યાયને ગ્રહણ કરે છે, ત્યારે પણ તે પદાર્થના અખિલ અર્થને જાણે છે. વળી બે, ત્રણ કે સર્વ પર્યાયોનો આશ્રય કરે ત્યારે પણ તે પદાર્થના અખિલ અર્થને જાણે છે. તે આ રીતે – અહીં આ ઘડો છે' એ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ફક્ત એક પર્યાયનો આશ્રય કર્યો છે, અને જ્યારે “કાળો ઘડો' એ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવે
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy