SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ વૈરાગ્યભેદાધિકાર ભાવાર્થ : જે લોકો જૈનદર્શનમાં જન્મેલા છે તેઓ જ્ઞાન-ક્રિયાથી મોક્ષ થાય છે તેમ સામાન્ય રીતે માનતા હોય છે; અને જૈનદર્શન સાદ્વાદને માને છે તથા એકાન્તવાદને મિથ્યા માને છે, તેથી તેઓને અનેકાન્તવાદની રુચિ હોય છે. આવા જીવો જ્યારે સંયમ પ્રત્યે વલણવાળા થાય છે ત્યારે ચારિત્રને ગ્રહણ કરે છે, અને માને છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે અને વિરતિથી જ મોક્ષ થાય છે. આમ છતાં, સૂક્ષ્મ બોધ નહીં હોવાને કારણે પકાયના પાલનમાં જ તેઓ મોક્ષની કારણતા માનતા હોય છે, અને આ તેઓનું એકાન્ત પકાયનું શ્રદ્ધાન છે; કેમ કે મોક્ષ માટે જેમ ષકાયનું પાલન આવશ્યક છે તેમ મોક્ષના કારણભૂત એવો સૂક્ષ્મબોધ પણ આવશ્યક છે. આમ છતાં, “માત્ર છકાય જીવોનો યથાર્થ બોધ થઈ જાય તેટલામાત્રથી ચારિત્રથી પ્રવૃત્તિ થઈ શકે, અને તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે,” એ પ્રકારની તેઓની માન્યતા હોવાથી, ષકાય જીવોનું જ્ઞાન કરીને ચારિત્રમાં પ્રવૃત્તિ કરવાની રુચિવાળા તેઓ હોય છે; પરંતુ સ્વ-પરશાસ્ત્રના પરમાર્થને જાણવા પ્રત્યે તેઓ ઉપેક્ષાવાળા હોય છે. તેથી પરમાર્થથી તેઓની એકાન્ત ચારિત્રમાં રુચિ છે, અને મોક્ષના કારણભૂત જ્ઞાનક્રિયારૂપ સ્યાદ્વાદમાં તેઓને રુચિ નથી. આથી તેઓ પકાયનો બોધ કરીને ચારિત્રમાત્રમાં જ શ્રદ્ધા કરે છે. આવા જીવોના ષકાયના શ્રદ્ધાનમાં પણ શુદ્ધતા નથી. આવા પ્રકારના જીવોમાં શુદ્ધતા કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે કે “સંપૂર્ણ પર્યાયનો અલાભ હોવાને કારણે તેઓને યથાર્થ બોધ નથી.” આ કથનનો આશય એ છે કે, મોક્ષના ઉપાયભૂત યથાર્થ જ્ઞાન સાદ્વાદના સૂક્ષ્મ જ્ઞાનથી થાય છે, અને સ્યાદ્વાદનું સૂક્ષ્મજ્ઞાન બધા પર્યાયોની પ્રાપ્તિથી થાય છે. જેમ કેવલીને કેવળજ્ઞાનમાં સંપૂર્ણ પર્યાય જણાય છે, અને જે પર્યાયો જે રીતે છે તે રીતે જ જણાય છે, તેથી કેવલીને યથાર્થ નિર્ણય હોય છે, તે જ રીતે સ્યાદ્વાદના સૂક્ષ્મ બોધવાળાને કેવલીના વચનાનુસાર સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનો યથાર્થ બોધ હોય છે, તેથી તેમનું જ્ઞાન પરિપૂર્ણ યથાર્થ હોય છે. જોકે છદ્મસ્થને સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો કેવલીની જેમ પ્રત્યક્ષ નથી, તો પણ કેવલીના વચનાનુસાર જ સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનો સંગ્રહાત્મક તેને બોધ હોય છે. તેથી તેના બોધમાં યથાર્થ નિર્ણય હોય છે, અને તે યથાર્થ નિર્ણયને
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy