________________
૧૮૩
વૈરાગ્યભેદાધિકાર ૧૮. અવિવેકિતા :- મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને અસહ હોવાને કારણે તેઓ તત્ત્વાતત્ત્વનો વિવેક કરી શકતા નથી, તેથી જ તેઓ મોક્ષના અર્થી હોવા છતાં મોક્ષને વિરુદ્ધ એવી પોતાની રુચિ તરફ વલણ રાખીને ભગવદુઆજ્ઞાનિરપેક્ષ પ્રવૃત્તિ કરે છે.
મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનાં આ પ્રકારનાં બધાં લક્ષણો છે. પ્રાયઃ કરીને ઉપરોક્ત ભાવોમાંથી ગમે તે ભાવ વ્યક્ત કે અવ્યક્તરૂપે મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોને હોય છે, તેથી તેમનો વૈરાગ્ય અતત્ત્વભૂત છે. II૬-૧૨/૧૩/૧૪/૧પણા અવતરણિકા :
હવે જ્ઞાનગર્ભ વૈરાગ્ય કોને હોય છે, તે બતાવે છે –
ज्ञानगर्भं तु वैराग्यं, सम्यक् तत्त्वपरिच्छिदः ।
स्याद्वादिनः शिवोपाय-स्पर्शिनस्तत्त्वदर्शिनः ।।१६।। અન્યથાર્થ :
સચ તત્ત્વપરિચ્છિઃ તુ વળી સમ્યક તત્ત્વને જાણનારા, ચાદ્વારના સ્યાદ્વાદના જ્ઞાનવાળા, શિવોપાયર્ધાન: મોક્ષના ઉપાયને સ્પર્શનાર, તત્ત્વનિ: તત્ત્વના દર્શી એવા જીવોનો વૈરાગ્યે જ્ઞાનાર્મ વૈરાગ્ય જ્ઞાનગર્ભ છે. I૬-૧૧ાા બ્લોકાર્ય :
વળી સમ્યક તત્ત્વને જાણનારા, સ્યાદ્વાદના જ્ઞાનવાળા, મોક્ષના ઉપાયને સ્પર્શનારા, તત્ત્વના દર્શ એવા જીવોનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ હોય છે. I૬-૧ાા ભાવાર્થ :
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ વૈરાગ્યનો ત્રીજો ભેદ છે. જે જીવો સમ્યકુ તત્ત્વના જાણનારા છે, સ્યાદ્વાદી છે, મોક્ષના ઉપાયને સ્પર્શનારા છે તથા તત્ત્વને જોનારા છે, તે જીવોનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે.
૧. સમ્યક તત્ત્વનું પરિચ્છેદન કરનારા - જીવની કમરહિત અવસ્થા એ જ જીવ માટે તત્ત્વ છે, અને તે તત્ત્વને યથાર્થ જાણવું તે સમ્યકતત્ત્વનો પરિચ્છેદ છે. આથી જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળા જીવો સર્વ કર્મથી રહિત તથા સર્વ બાહ્ય અને આત્યંતર ભાવોથી રહિત એવી સિદ્ધ અવસ્થાને પરમાર્થરૂપે જુએ છે.