________________
અધ્યાત્મમાહાભ્યાધિકાર
अध्यात्मसार
।। अध्यात्ममाहात्म्याधिकार ।।
અવતરણિકા :
શ્લોક-૧ થી ૬ મંગલાચરણરૂપ છે.
ऐन्द्र श्रेणिनतः श्रीमानन्दतान्नाभिनन्दनः ।
उद्दधार युगादौ यो, जगदज्ञानपङ्कतः ।।१।। અન્વયાર્થ :
યુગ યુગની આદિમાં=પ્રારંભમાં ય: જેમણે ૩જ્ઞાનપત: અજ્ઞાનરૂપી કાદવથી ત્િ જગતને ઉધાર ઉદ્ધર્યો, નતા ઈન્દ્રોની શ્રેણિથી નમાયેલા, શ્રીમાન્ નામનના શ્રીમાન તે નાભિનન્દન (આપણા ઉપર) નતત્ પ્રસન્ન થાઓ. ||૧-૧II શ્લોકાર્ધ :
યુગની આદિમાં જેમણે અજ્ઞાનરૂપી કાદવથી જગતને ઉદ્ધર્યો, ઈન્દ્રોની શ્રેણિઓથી નમાયેલા એવા શ્રીમાન તે નાભિનન્દન આપણા ઉપર પ્રસન્ન થાઓ. ll૧-૧ાા. ભાવાર્થ -
“હું” એ સરસ્વતીદેવીનો બીજમંત્ર છે, તેથી ઐન્દ્ર શબ્દથી પ્રારંભ કર્યો છે. ભગવાન ઋષભદેવે પ્રથમ સન્માર્ગનું સ્થાપન કર્યું, તેથી જગતમાં વર્તતું અજ્ઞાન નાશ પામ્યું, અને જગતના જીવોનો તેમણે અજ્ઞાનરૂપી કાદવથી યુગની આદિમાં ઉદ્ધાર કર્યો એવા, ઈન્દ્રોની શ્રેણિથી નિમાયેલા અને ઐશ્વર્યવાળા ઋષભદેવ ભગવાન આપણા પર પ્રસન્ન થાઓ, એમ કહીને ગ્રંથકાર એ કહે છે કે, તેમનું વચન આપણને સમ્યફ પરિણમન પામે તે જ તેમની ખરી પ્રસન્નતા છે, જેથી આપણે આ સંસારસમુદ્રથી તરી શકીએ. I૧-૧II