________________
૧૬૫
વૈરાગ્યભેદાધિકાર શ્લોકાર્ય :
પ્રથમ પ્રકારના વેરાગ્યમાં શરીર અને મનનો ખેદ હોય છે, અર્થાત્ શારીરિક અને માનસિક દુઃખ હોય છે, જે કારણથી તૃપ્તિ કરાવે તેવું જ્ઞાન નથી; અને પોતાની ઇચ્છિત વસ્તુનો લાભ થયે છતે વૈરાગ્યનો વિનિપાત પણ થાય છે. I૬-રા ભાવાર્થ :
દુઃખગર્ભિત વૈરાગ્યને પામીને કોઇ જીવ સંયમ ગ્રહણ કરે અને શાસ્ત્રનું અધ્યયન કરે, તો પણ શાસ્ત્રનું જ્ઞાન જો જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ ન બને, તો તે જીવ દુઃખગર્ભિત વૈરાગ્યમાં જ વર્તતો હોય છે. આ જ્ઞાન તેના આત્માને અંતરંગ તૃપ્તિ કરાવી શકતું નથી, તેથી તેને તપ-સંયમની ક્રિયા શરીરના અને મનના ખેદનું કારણ બને છે. તેનાથી શરીરને ક્લેશનો અનુભવ થાય છે, અને મનને પણ ભોગોથી વિમુખ રહીને તપ-સંયમમાં પ્રવર્તાવવાથી ક્લેશનો અનુભવ થાય છે; પરંતુ તે તપ-સંયમની ક્રિયા અંતરંગ સ્વસ્થતાનું કારણ બની શકતી નથી. આવા દુઃખગર્ભિત વૈરાગ્યવાળા મુનિઓને અંતરમાં પોતાની ઇચ્છિત વસ્તુનો લાભ થાય છે ત્યારે, તે વૈરાગ્યનો નાશ પણ થાય છે, કેમ કે સામાન્ય રીતે જીવ સુખનો અર્થી હોય છે, અને દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવોને તપ-સંયમની ક્રિયા સુખરૂપ દેખાતી નથી; પરંતુ ધારેલા વિષયની અપ્રાપ્તિથી જ સંસારના ત્યાગની ક્રિયા કરી છે, આથી
જ્યારે પોતાની ધારણા પ્રમાણે વિષયો મળી જાય છે ત્યારે, તે વિષયોમાંથી જ આનંદ લેવાની તેઓની મનોવૃત્તિ હોય છે, તેથી તે દુઃખગર્ભિત વૈરાગ્યવાળાઓનો પાત થાય છે. આમ છતાં, કોઈકને દુઃખગર્ભિત વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ બની શકે છે. IIક-શા અવતરણિકા -
વળી, દુઃખગર્ભિત વૈરાગ્યવાળાનું માનસ કેવું હોય છે, તે બતાવે છે –
दुःखाद्विरक्ताः प्रागेवे-च्छन्ति प्रत्यागतेः पदम् ।
अधीरा इव सङ्ग्रामे, प्रविशन्तो वनादिकम् ।।३।। અન્વયાર્થ :
સંગ્રામ વિશજો યુદ્ધમાં પ્રવેશતા એવા ડાઘરા યુદ્ધ લડવાના પૈર્ય વગરના અધીર યોદ્ધાઓ વનાવિમ્ સુવ જેમ વનાદિને (ઇચ્છે છે) તેમ દુદ્વિર: દુઃખને G-૧૩