________________
૧૬૩
વૈરાગ્યભેદાધિકાર
|| વૈરાગ્યમેવધવાર || અવતરણિકા :
પૂર્વના વૈરાગ્યસંભવ અધિકારમાં બતાવ્યું કે, ભવસ્વરૂપના ચિંતનને કારણે ભવના સ્વરૂપનું વિજ્ઞાન થવાથી ભવ નિર્ગુણ ભાસે છે, તેથી સંસારના વિષયોની ઇચ્છાના વિચ્છેદરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. હવે વૈરાગ્યભેદ અધિકારમાં વૈરાગ્યના હેતુથી ત્રણ ભેદ છે તે દર્શાવે છે –
तद्वैराग्यं स्मृतं दुःख-मोहज्ञानान्वयात्रिधा ।
तत्राद्यं विषयाप्राप्तेः, संसारोद्वेगलक्षणम् ।।१।। અન્વયાર્થ :
તત્ વૈરાયું તે વૈરાગ્ય-પૂર્વ અધિકારમાં ઇચ્છાના ઉચ્છેદરૂપ જે વૈરાગ્ય કહ્યો તે વૈરાગ્ય કુમોહજ્ઞાન્વિતિ ત્રિધા સ્મૃતિં દુઃખ, મોહ અને જ્ઞાનના સંબંધથી ત્રણ પ્રકારે કહેવાયો છે. તત્ર ત્યાં–ત્રણ પ્રકારના વૈરાગ્યમાં, આ પ્રથમ (દુઃખગર્ભિત વૈરાગ્ય) વિષય પ્રાપ્ત સંસારોઢેશનક્ષણમ્ વિષયોની અપ્રાપ્તિથી સંસારના ઉદ્વેગરૂપ છે. II૬-૧પ શ્લોકાર્ચ -
પૂર્વ અધિકારમાં ઇચ્છાના ઉચ્છેદરૂપ જે વેરાગ્ય કહ્યો તે વૈરાગ્ય દુઃખ, મોહ અને જ્ઞાનના સંબંધથી ત્રણ પ્રકારે કહેવાયેલ છે. ત્રણ પ્રકારના વૈરાગ્યમાં પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્ય વિષયની અપ્રાપ્તિથી સંસારના ઉદ્વેગરૂપ છે. I-વા ભાવાર્થ :
- પૂર્વના અધિકારમાં બતાવેલ ભોગની અનિચ્છારૂપ વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે. દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. આ ત્રણે વૈરાગ્યમાંથી દુઃખગર્ભિત વૈરાગ્ય સંસારમાં ધાર્યા પ્રમાણે વિષયની અપ્રાપ્તિથી થાય છે. જ્યારે ધાર્યા પ્રમાણે વિષય પ્રાપ્ત થતો નથી ત્યારે આ સંસાર પ્રત્યે ઉદ્વેગ થાય છે. તેથી સંસારનો ત્યાગ કરીને ધર્મની ક્રિયાઓ કરવાની ઈચ્છા થાય છે. આ પ્રકારનો વૈરાગ્ય દુઃખગર્ભિત વૈરાગ્ય છે.