________________
૧પપ
વૈરાગ્યસંભવાધિકાર પ્રતિકૂળ પદાર્થો મળે છે ત્યારે દુઃખનો અનુભવ થાય છે. પરંતુ તત્ત્વના ભાવનથી વિરક્ત જીવોને, ઈન્દ્રિયોને અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ નહીં હોવાથી અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ નહીં હોવાથી બંને પ્રસંગે તેઓ રાગ કે દ્વેષ ન કરતાં જીવના સ્વભાવભૂત એવા ઉપશમ સુખનો આનંદ અનુભવી શકે છે.
વળી, ભેદજ્ઞાનવાળા જીવો જાણે છે કે અનાદિના સંસ્કારને કારણે જો સાવધાન રહેવામાં ન આવે તો ઈન્દ્રિયો પ્રત્યેનું જીવનું વલણ થઈ જવાથી વૈરાગ્ય નાશ પામી જાય તેમ છે, તેથી સદ્ભાવના વિનિયોગ દ્વારા ઈન્દ્રિયોનું વંચન કરવું જોઈએ. આ સદ્ભાવનો વિનિયોગ એ, ઉત્તમ પુરુષોની ભક્તિ આદિરૂપ સટ્સનુષ્ઠાનોમાં વારંવાર પ્રવૃત્તિ કરીને ઉત્તમ ભાવોમાં વ્યાપાર કરવારૂપ છે. આ રીતે અનુષ્ઠાન દ્વારા ઉત્તમ ભાવોમાં કરાતા યત્નથી ઈન્દ્રિયોને વિષયો તરફ જતી અટકાવવી, તે કરણોનું વંચન છે.
જેમ કોઈ બાળક કોઈ વસ્તુ મેળવવાની જીદ પકડે ત્યારે, તેને બીજી અલગ જ વાતો કરાવી તેના મનને તેમાં જ રોકી રાખવામાં આવે તો ધીમેધીમે સમય જતાં પોતે કરેલી હઠને ભૂલી જાય છે; તે જ રીતે ઈન્દ્રિયોને પણ સઅનુષ્ઠાનમાં પ્રવૃત્ત રાખવા દ્વારા તેને ઠગીને વિષયોથી વિમુખ બનાવીને વૈરાગ્યની પ્રાપ્તિનો યત્ન કરવો તે કરણોનું વચન છે. પ-૩૧ાા અવતરણિકા :
શ્લોક-૨૭ માં વૈરાગ્યને પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ બતાવ્યો અને એ માર્ગ પર ચાલનારા જીવો કેવી રીતે વૈરાગ્યને પેદા કરે છે તે શ્લોક-૩૧ માં બતાવ્યું. શ્લોક-૨૮ માં વૈરાગ્યની પ્રાપ્તિનો ઉત્પથ બતાવ્યો, હવે એ માર્ગ પર ચાલનારા જીવો કેવી રીતે વૈરાગ્યને પેદા કરે છે, તે બતાવે છે –
प्रवृत्तेर्वा निवृत्तेर्वा, न सङ्कल्पो न च श्रमः ।
विकारो हीयतेऽक्षाणा-मिति वैराग्यमद्भुतम् ।।३२।। અન્વયાર્થ:
પ્રવૃત્તેિ: વા નિવૃત્ત: વા પ્રવૃત્તિનો અથવા નિવૃત્તિનો ને સત્વ: સંકલ્પ નથી ન ૨ શ્રમ અને શ્રમ નથી. ડાક્ષાનાં વિવાર: ઈન્દ્રિયોનો વિકાર રીતે ક્ષય પામે છે. રૂતિ વૈરાગ્યમ્ ૩ મુતમ્ આ વૈરાગ્ય અદ્ભુત છે. પ-૩શા