________________
૧૫૩
વૈરાગ્યસંભવાધિકાર સાધર્મિકના યોગથી, વિષયોનો ત્યાગ કરવા ધીરે ધીરે યત્ન કરવો જોઈએ. પરંતુ
જ્યાં સુધી ઈન્દ્રિયો શાંત ન બને ત્યાં સુધી એકદમ વિષયોનો ત્યાગ કરવામાં આવે તો, ચિત્તમાં વિષયોની સતામણી રહેવાથી આત્મકલ્યાણ થતું નથી; પરંતુ વિષયો પ્રત્યેના વલણનું જ પોષણ થાય છે, જેથી અનર્થની વૃદ્ધિ થાય છે. પ-૨૦ અવતરણિકા :
બળાત્કારે ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ મૂકનાર જીવની પરિસ્થિતિ કેવી થાય છે, તે બતાવે છે –
પર્યાન્તિ નીરૂંનં પ્રયુન્નતે .
आत्मानं धार्मिकाभासा:, क्षिपन्ति नरकावटे ।।३०।। અન્વયાર્થ:
ઘર્મામાસી ધાર્મિકના આભાસવાળાઓ=પરમાર્થથી ધાર્મિક નહીં હોવા છતાં ધાર્મિક જેવા ભાસતા એવા બાહ્ય ત્યાગીઓ, Mયા લજ્જા વડે નીચે નીચું પશ્યત્તિ જુએ છે, દુર્ગાનં દુર્ગાનને પ્રયુન્નતે પ્રયોજે છે માત્માનં ર અને આત્માને નરાવરે નરકરૂપી કૂવામાં પિત્તિ નાંખે છે. પ-૩૦ના - શ્લોકાર્ધ :
પરમાર્થથી ધાર્મિક નહીં હોવા છતાં ધાર્મિક જેવા ભાસતા એવા બાહ્ય ત્યાગીઓ લજ્જા વડે નીચું જુએ છે, દુર્ગાનને પ્રયોજે છે અને આત્માને નરકરૂપી કૂવામાં નાંખે છે. પ-૩મા ભાવાર્થ :
જે લોકો તત્ત્વાતત્ત્વનું પર્યાલોચન કર્યા વગર માત્ર વિષયસેવનથી પાપ બંધાય છે એવી બુદ્ધિ રાખીને વિષયોનો ત્યાગ કરે છે, તેઓ બાહ્ય રીતે વિષયોથી દૂર રહેવા માટે સ્ત્રી આદિ વિષયોની સન્મુખ રહેતા નથી અને લજ્જાને કારણે નીચે જુએ છે; પરંતુ વર્તમાનમાં તત્ત્વાતત્ત્વનું પર્યાલોચન ન હોવાના કારણે તથા જીવને અનાદિના વિષયસેવનના જ સંસ્કારો હોવાને કારણે, કોઈને કોઇ વિષયનું આલંબન લઈને તેમનું ચિત્ત તો સતત પ્રવૃત્તિશીલ હોય છે. તેથી આવો જીવ સંયમનું પાલન કરતો હોય તો પણ, તેની સંયમની બાહ્ય આચરણા સિવાય કોઈ ને કોઈ વિષયને