________________
૧૪૯
વૈરાગ્યસંભવાધિકાર
અવતરણિકા :
શ્લોક-૯ માં કહ્યું કે ભવનૈન્યના દર્શનથી વૈરાગ્ય પેદા થાય છે. ત્યાં શંકા થઈ કે ચોથા ગુણસ્થાનકવાળાને પણ ભવનર્ગુણ્યનું દર્શન હોય છે, તેથી તેઓને વૈરાગ્ય કેમ ન હોય ? તે વાતનું સમાધાન કરતાં કહ્યું કે ભવનગુણ્યનું દર્શન હોવા છતાં ચોથા ગુણસ્થાનકે ચારિત્રમોહનીયના ઉદયને કારણે તેમને વૈરાગ્ય નથી; તેમ છતાં, દશાવિશેષમાં વિષયોની પ્રવૃત્તિ હોવા છતાં વૈરાગ્ય હોય છે; પરંતુ વૈરાગ્યપ્રાપ્તિનો રાજમાર્ગ તો વિષયોનો ત્યાગ જ છે, અને વિષયોના સેવનકાળમાં પણ વૈરાગ્ય હોય છે એ તો વિષમ પગદંડી જેવો માર્ગ છે. આ વાત શ્લોક-૨૭ અને ૨૮ માં કહે છે -
विषयेभ्यः प्रशान्ताना-मश्रान्तं विमुखीकृतैः । करणैश्चारुवैराग्य-मेष राजपथः किल ।।२७।। स्वयं निवर्तमानैस्तै-रनुदीर्णैरयन्त्रितैः ।
तृप्तैर्ज्ञानवतां तत्स्या-दसावेकपदी मता ।।२८।। અન્વયાર્થ
વિષમ્ય વિષયોથી શ્રાસ્તે એકધારી વિમુખીત્તેર વરીઃ વિમુખ કરાયેલી એવી ઈન્દ્રિયો હોવા વડે પ્રશાન્તાની પ્રશાન્ત થયેલા જીવોને ચઢિ વૈરાગ્યમ્ સુંદર વૈરાગ્ય છે. પણ રાનપથ વિના ખરેખર આ રાજમાર્ગ છે. ૩ની ઉત્રિતૈ: તૃતૈ: રવયં નિવર્તમાઃ સૈઃ અનુદીર્ણ, અનિયંત્રિત, તૃપ્ત (અને) સ્વયં નિવર્તમાન એવી તેના વડે=ઈન્દ્રિયો વડે, (વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં) જ્ઞાનવતાં જ્ઞાનવાળાઓને તત્ રચાત્ તે=વૈરાગ્ય, થાય છે. ૩રસ પી મતા આ ઉત્પથ (લૂંટારોમાર્ગ) મનાયેલ છે. આપ-૨૭/૨૮ાા નોંધ :
(૧) રાજપથ એટલે જ્યાંથી લૂંટાવાના ભય વગર જીવો સ્થાને પહોંચી શકે, તેવો માર્ગ.
(૨) ઉપરી ઉત્પથ એટલે જ્યાંથી સ્થાને શીધ્ર પહોંચાય તેમ હોવા છતાં લૂંટારાઓથી લૂંટાવાની જ્યાં પૂરી સંભાવના છે તેવો માર્ગ, G-૧૨