SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યસંભવાધિકાર આમ, તેઓને ભવની ઈચ્છા વિચ્છિન્ન છે અને કર્મના ભાવને કારણે જ ભોગાદિની પ્રવૃત્તિ છે. તેથી આવા વિરક્ત જીવોને તેવી પ્રવૃત્તિમાં જે રતિનો અનુભવ છે, તે કેવળ શાતાવેદનીય કર્મના ઉદયથી અનુકૂળ વેદનરૂપ છે, પરંતુ મોહજન્ય રતિના પરિણામરૂપ નથી. II૫-૧૪|| ૧૩૫ अतश्चाक्षेपकज्ञानात् कान्तायां भोगसन्निधौ । न शुद्धिप्रक्षयो यस्मा - द्धारिभद्रमिदं वचः ।। १५ ।। અન્વયાર્થ : ગતઃ આથી=શુભવેદનીયના વેદનરૂપ જ રિત છે એથી, कान्तायां મોસન્નિધી કાન્તાદષ્ટિમાં ભોગના સાંનિધ્યમાં આક્ષેપવજ્ઞાનાત્ આક્ષેપકજ્ઞાન હોવાને કારણે શુદ્ધિપ્રાય: ન શુદ્ધિનો પ્રક્ષય થતો નથી. યસ્માત્ જે કારણથી વં આ=આગળ કહેવાનારું હામિદ્ન વચઃ હરિભદ્રસૂરિનું વચન છે. II૫-૧૫॥ શ્લોકાર્થ : શાતાવેદનીયના વેદનરૂપ જ રિત છે એથી, કાન્તાદૃષ્ટિમાં ભોગના સાંનિધ્યમાં આક્ષેપકજ્ઞાન હોવાને કારણે શુદ્ધિનો પ્રક્ષય થતો નથી, જે કારણથી આગળ કહેવાનારું હરિભદ્રસૂરિનું વચન છે. ||૫-૧૫॥ ભાવાર્થ : કાન્તાદૃષ્ટિમાં રહેલ જીવને ભોગમાં જે રિત છે તે કેવળ શુભ કર્મના વેદનથી છે પરંતુ મોહથી નથી, તેથી ભોગની પ્રવૃત્તિમાં પણ શુદ્ધિનો પ્રક્ષય થતો નથી. પાંચમી દૃષ્ટિમાં ભવના નૈર્ગુણ્યનું સ્પષ્ટ ભાન હોવાને કા૨ણે સંસારના ભોગો તુચ્છ અને અસાર ભાસવા છતાં, ભોગકાળમાં તેઓને ભોગની પણ કાંઈક અસર થાય છે; તેથી ભોગમાં જે અપ્રશસ્ત ભાવ થાય છે, તેનાથી શુદ્ધિનો અંશથી પણ પ્રક્ષય થાય છે; જ્યારે કાન્તાદૃષ્ટિમાં રહેલા સાધક આત્માઓને મોક્ષને અનુકૂળ એવી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, પરંતુ શુદ્ધિ સહેજ પણ હીનતાને પામતી નથી, તેનું કારણ એ છે કે તેમનામાં આક્ષેપકજ્ઞાન છે. આ આક્ષેપકજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે -
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy