________________
૧૨૯
વૈરાગ્યસંભવાધિકાર
અવતરણિકા :
પૂર્વના શ્લોકમાં બતાવ્યું કે ભવનૈર્ગુણ્યના દર્શનથી વૈરાગ્ય થાય છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવને ભવનૈર્ગુણ્યનું દર્શન હોવાથી તેને પણ વૈરાગ્ય માનવાની આપત્તિ આવશે. આ પ્રકારની શંકા કરીને ગ્રંથકાર તેનું સમાધાન કરતાં કહે છે -
।
चतुर्थेऽपि गुणस्थाने, नन्वेवं तत् प्रसज्यते । युक्तं खलु प्रमातॄणां भवनैर्गुण्यदर्शनम् ।।१०।।
અન્વયાર્થ :
ડ્યું આ રીતે=ભવનૈર્ગુણ્યના દર્શનથી વૈરાગ્ય પેદા થાય છે એ રીતે, ચતુર્થે અપિ મુળસ્યાને ચોથા પણ ગુણસ્થાનકમાં નનુ ખરેખર ત્ તેવૈરાગ્ય પ્રસખ્યતે પ્રાપ્ત થશે. (કેમ કે) પ્રમાતૃળાં પ્રમાતૃઓનેસમ્યગ્દષ્ટિ જીવોને અનુ ખરેખર મવનૈર્મુખ્યવર્શનમ્ યુ ભવનૈર્ગુણ્યનું દર્શન યુક્ત છે. પ-૧૦॥
શ્લોકાર્થ :
ભવનૈર્ગુણ્યના દર્શનથી વૈરાગ્ય પેદા થાય છે, એ રીતે ચોથા પણ ગુણસ્થાનકમાં ખરેખર વૈરાગ્ય પ્રાપ્ત થશે, કેમ કે સમ્યગ્દષ્ટિ જીવોને ખરેખર ભવનેર્ગુણ્યનું દર્શન યુક્ત છે. ||૫-૧૦||
ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે ભવનૈર્ગુણ્યથી પ્રગટ થયેલો વૈરાગ્ય વિષયોમાં અપ્રવૃત્તિથી નિરાબાધ થાય છે. ત્યાં શંકા થાય કે એ રીતે તો ચોથા ગુણસ્થાનકમાં પણ વૈરાગ્ય માનવો પડે, કેમ કે ચોથા ગુણસ્થાનકવાળા સમ્યગ્દષ્ટિ જીવો જગતને યથાર્થ જોનારા હોવાથી પ્રમાતૃ છે, અને તેવા પ્રમાતાઓને સંસાર નિર્ગુણરૂપે જ દેખાય છે, અને ખરેખર જો ચોથા ગુણસ્થાનકમાં વૈરાગ્ય હોય તો વિષયોમાં પ્રવૃત્તિ ન હોવી જોઈએ. માટે સંસારની નિર્ગુણતાના દર્શનને વૈરાગ્યનો હેતુ કઈ રીતે કહી શકાય ? એ પ્રકા૨નો પ્રસ્તુત શ્લોકનો ધ્વનિ છે. Iાપ-૧૦ના
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં શંકા કરેલ કે સમ્યગ્દષ્ટિ જીવોને ભવનૈર્ગુણ્યનું દર્શન હોવાથી વૈરાગ્ય માનવાની આપત્તિ આવશે. તેનું સમાધાન કરતાં કહે છે -