________________
૧૨૭
શ્લોકાર્થ :
વૈરાગ્યસંભવાધિકાર
જેમ તપાવેલા લોઢાના ગોળા ઉપર પડતું એવું પાણીનું બિંદુ રહેવા માટે સમર્થ નથી, તેમ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્ય રહેવા માટે પણ સમર્થ નથી. II૫-૭ ભાવાર્થ :
જેવી રીતે તપાવેલા લોઢાના ગોળા ઉપર પાણીનું માત્ર એક ટીપું નાખવામાં આવે તો તે તત્ક્ષણ જ વિનાશ પામે છે, બિંદુનું અસ્તિત્વ જ રહી શકતું નથી; તેવી જ રીતે જે જીવો વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, તેઓનું ચિત્ત વિષયોમાં જ પ્રવૃત્તિની વૃત્તિવાળું બને છે. તેથી તેવા ચિત્તમાં વિષયોની અનર્થકારિતાનું વર્ણન કરવામાં આવે, કે થોડું પણ વૈરાગ્યનું ચિંતવન ક૨વામાં આવે તો પણ, જ્યાં સુધી વિષયોમાં જ પ્રવૃત્તિ ક૨વાની મનોવૃત્તિ પડી છે ત્યાં સુધી વૈરાગ્ય રહી શકતો નથી.
||૫-૭||
यदीन्दुः स्यात् कुहूरात्रौ, फलं यद्यवकेशिनि । तदा विषयसंसर्गिचित्ते वैराग्यसङ्क्रमः ।।८।।
અન્વયાર્થ :
ચત્તિ પૂરાત્રૌ હન્તુઃ જો અમાસની રાત્રિમાં ચંદ્ર (ઊગે કે) તિ અવન્તિન પરૂં જો અવકેશિ નામના વૃક્ષ ઉપર ફળ રચાત્ થાય તા તો વિષયસંચિત્તે વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યસમાં વૈરાગ્યનું સંક્રમણ થાય. II૫શ્લોકાર્થ :
જો અમાસની રાત્રિમાં ચંદ્ર ઊગે કે અવકેશિ નામના વૃક્ષ ઉપર ફળ થાય તો વિષયસંસર્ગવાળા એવા ચિત્તમાં વૈરાગ્યનું સંક્રમણ થાય. IN-II
ભાવાર્થ:- =
કોઈપણ સંજોગોમાં અમાસની રાત્રિમાં ચંદ્ર ઊગતો જ નથી અને અવકેશિ નામના વૃક્ષ પર કદી ફળ આવતાં જ નથી. તે રીતે જ વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યનો પ્રવેશ શક્ય જ નથી. ૫-૮॥