________________
૧૨૫
વૈરાગ્યસંભવાધિકાર વૈરાગ્ય માટે યત્ન કરવો પણ શક્ય નથી, કેમ કે વિષયોના ભોગથી વિષયેચ્છાના સંસ્કારો વૃદ્ધિ પામે છે. આમ, વૈરાગ્ય માટે ભવસ્વરૂપના ચિંતનની સાથોસાથ વિષયોથી પરાક્ષુખ રહેવું પણ એટલું જ આવશ્યક છે. IIT-કા અવતરણિકા :
વિષયોમાં પ્રવૃત્ત થનારને વૈરાગ્ય દુર્લભ બને છે. આ વાતને ગ્રંથકાર હવે પછીના શ્લોક-૫ થી ૮ માં દૃષ્ટાંતથી બતાવે છે –
सौम्यत्वमिव सिंहानां, पनगानामिव क्षमा ।
विषयेषु प्रवृत्तानां, वैराग्यं खलु दुर्लभम् ।।५।। અન્વયાર્થ :
સિંહાનામ્ સૌમ્યત્વમ્ સુવ સિંહોને જેમ સૌમ્યત્વ (દુર્લભ છે અને) પન્નાનામ્ ક્ષમા ફુવ સર્પોને જેમ ક્ષમા (દુર્લભ છે) તેમ ઇસુ ખરેખર વિશેષ પ્રવૃત્તાના વિષયોમાં પ્રવૃત્ત એવા જીવોને વૈરાયે દુર્તમ” વૈરાગ્ય દુર્લભ છે.પ-પા શ્લોકાર્ધ :
સિંહોને જેમ સૌમ્યત્વ દુર્લભ છે અને સર્પોને જેમ ક્ષમા દુર્લભ છે, તેમ ખરેખર વિષયોમાં પ્રવૃત્ત એવા જીવોને વેરાગ્ય દુર્લભ છે. પ-પા ભાવાર્થ :
સિંહના ભવને કારણે સિંહમાં સૌમ્યત્વ પ્રાપ્ત થઈ શકે નહીં અને સર્પના ભવને કારણે સર્પમાં ક્ષમા પ્રાપ્ત થઈ શકે નહીં. ક્વચિત્ તથાવિધ મહાત્માના સંયોગને કારણે સિંહ સૌમ્ય બને છે કે સર્પાદિમાં ક્ષમા શક્ય બને છે, પરંતુ ભવને કારણે તો તે દુર્લભ જ છે. આ જ રીતે વિષયોમાં પ્રવૃત્ત થનારા જીવોને વિષયપ્રવૃત્તિને કારણે વૈરાગ્ય થઈ શકે નહીં.
અહીં પણ ક્વચિત્ જન્માન્તરના સંસ્કારાદિને કારણે, પૂર્વની આરાધનાને કારણે, અથવા કર્મની અત્યંત અલ્પતાને કારણે સિંહ-સર્પાદિને પણ વૈરાગ્ય થાય તે સંભવે, પરંતુ વિષયોની પ્રવૃત્તિ તો વૈરાગ્યની અપ્રાપ્તિનું જ કારણ છે. પ-પા