________________
૧૧૧
આ ભવસ્વરૂપચિંતાઅધિકાર કુનયનું પ્રરૂપણ થઈ ગયું હોય તેની જેમ વિધવનિતાથીવનમ્ રૂવ વિધવા સ્ત્રીના યૌવનની જેમ નિuતે પત્યૌ મૃતૃશ નેહરી રૂવ અનિષ્ણાત પતિ પ્રત્યે મૃગાક્ષીનીક સ્ત્રીની, સ્નેહરૂપ લહરીની જેમ તાત્ત્વિશાત્ તત્ત્વદષ્ટિવાળાઓને મરીડાદ્રીડા ભવની ક્રિીડારૂપી લજ્જા રતિ બાળે છે. l૪-૨૧ાા શ્લોકાર્થ :
અપૂર્ણ વિદ્યાની જેમ, પ્રકટ એવા ખલની મૈત્રીની જેમ, સભામાં પોતાનાથી જ કોઈ કુનયનું પ્રરૂપણ થઈ ગયું હોય તેની જેમ, વિધવા સ્ત્રીના યૌવનની જેમ, અનિષ્ણાત પતિ પ્રત્યે સ્ત્રીની સ્નેહરૂ૫ લહરીની જેમ તત્ત્વદૃષ્ટિવાળાઓના હૃદયને ભવની ક્રિીડાની લજ્જા બાળે છે. II૪-૨વા ભાવાર્થ :
કોઈ વિદ્યાસાધક કોઈ વિદ્યા સાધી રહ્યો હોય અને તે વિદ્યા કોઈક કારણસર પૂર્ણ સાધી શક્યો ન હોય ત્યારે તેને ઘણું દુઃખ થતું હોય છે.
વળી, પોતે કોઈ હિતના આશયથી અન્ય વ્યક્તિ સાથે મૈત્રીસંબંધ બાંધ્યો હોય અને છેવટે ખબર પડે કે તે વ્યક્તિ તો ખલ-કપટી, છે ત્યારે તેનું હૃદય કકળી ઉઠે છે.
વળી, જ્યાં વિવાદ ચાલી રહ્યો હોય તેવી સભામાં જ્યારે પોતાનાથી જ કોઈ કુનયનું પ્રરૂપણ થઈ જાય, અથવા કોર્ટ જેવા સ્થળે પોતાનાથી જ કોઈ એવી વાતનું ભૂલથી ઉચ્ચારણ થઈ જાય, કે જે પોતાના પક્ષને જ નુકસાનકારક થાય, ત્યારે તે વ્યક્તિને ખૂબ જ પસ્તાવો થાય છે.
વળી, યુવાન વયે વિધવા બનેલી સ્ત્રીને પોતાનું યૌવન નિષ્ફળ જતું જોવાથી ઘણું દુઃખ થાય છે.
વળી, અલ્પબુદ્ધિવાળા એવા પોતાના પતિ પ્રત્યે કોઈ સ્ત્રીની અતિ સ્નેહની અભિવ્યક્તિથી, તેનો પતિ વિપરીત અર્થ ગ્રહણ કરે છે તે સમયે, તે સ્ત્રીનું હૃદય ડંખતું હોય છે.
આ જ પ્રમાણે તત્ત્વદૃષ્ટાને પોતે ભવમાં રહીને જે ભોગાદિની ક્રીડા કરી રહ્યો હોય છે તેનાથી લજ્જા પેદા થાય છે, અને તેથી તેનું હૈયું સતત બળી રહ્યું હોય છે.
અહીં જે જીવને, સર્વ સબંધ અને સર્વ આકાંક્ષા વિનાનો તથા સંસારથી સંપૂર્ણ અતીત એવો મોક્ષ જ તત્ત્વરૂપ ભાસે છે, તે જ જીવ તત્ત્વદષ્ટા છે. વળી, સર્વ આકાંક્ષાઓથી પર એવા ઉત્તમ ચિત્તને ધારણ કરનારા, અને ધીરે ધીરે