SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાવાર્થ : સંસારી જીવો ધન, ઘ૨, સ્ત્રી, પુત્ર આદિને પ્રાપ્ત કરીને “તે બધું મારું જ છે” એમ માનતા હોય છે, તથા તે સર્વના હોવાપણાથી જ પોતે સંસારમાં સુખી છે એવો તેમને ગર્વ હોય છે. પરંતુ પોતે સમજી નથી શકતા કે આ સર્વના હોવાને કા૨ણે જ સંસારમાં દુઃખોની પરંપરા ઊભી થાય છે, એટલે કે પોતે જેને કારણે સુખ માને છે તે ખરેખર તો દુઃખનું કારણ જ છે. આમ, દુઃખવાળી સ્થિતિમાં પણ સુખવાળી સ્થિતિનો ભ્રમ પેદા થાય તેવી કુટિલ ઘટનાવાળો આ સંસાર છે. ૯૦ જેમ કોઈ નકલી હીરાની ચમક જોયા પછી અસલી હીરાને સામાન્ય માનવી પસંદ કરતો નથી, પરંતુ હીરાપારખુ વ્યક્તિ અસલ હીરાને પારખી શકે છે; તેમ આવા મિથ્યાસુખને વિવેકી પુરુષ જ મિથ્યા જાણે છે, અને તેથી જ તે સર્વ પ્રત્યે ઉપેક્ષાવાળો થાય છે, અર્થાત્ સંસારના બાહ્ય પદાર્થોથી અલિપ્ત બને છે. અહીં વિશેષ એ છે કે ધનના અર્જન, રક્ષણ અને તેના નાશમાં જીવને અનેક ક્લેશો પ્રાપ્ત થાય છે. ધનની પ્રાપ્તિમાં જે સુખની બુદ્ધિ છે તે આભિમાનિક સુખમાત્ર છે. વાસ્તવિક રીતે ધનમાંથી કોઈ ભાવ આત્માને પ્રાપ્ત થતો નથી; પરંતુ પોતાને ધન પ્રત્યેનું આકર્ષણ હોવાને કારણે ધનમાં સુખ થાય છે, અને તે જ રીતે ઘર, સ્ત્રી, પુત્ર વિશે પણ આભિમાનિક સુખ થાય છે. તેથી પારમાર્થિક દૃષ્ટિએ તે સુખને મિથ્યાસુખ કહેલ છે. II૪-૭ના ઉપમા ઃ ૬ સંસાર – જેલ - प्रियास्नेहो यस्मिन्निगडसदृशो यामिकभटो पमः स्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव ।। मदामेध्यापूर्णं व्यसनबिलसंसर्गविषमं । भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ।।८।। અન્વયાર્થ : યસ્મિન્ જેમાં પ્રિયાસ્નેહઃ નિહસદૃશઃ પ્રિયાનો સ્નેહ બેડી સમાન છે. સ્વીય: વર્ગ: યમિમટોપમઃ સ્વજનો પહોરે પહોરે બદલાતા પહેરેગીર સમાન છે.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy