SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૪ ] પ્રોધ ચિંતામણિ ગતિમાં જનારા હોય છે છતાં ધણીની સાથે બળી મરવાથી ફરીને તેનો સમાગમ થાય છે’ એવાં મૂખ પુરુષાનાં વચનોવડે સ્ત્રીઓ ધણીની સાથે બળી મરે છે, એમ સમજો કે પિતા એક જુદા ઘરમાં રહે તે અવસરે પિતાને નિમિત્ત પુત્રે આપેલું દાન તેને મળતું નથી (તે પરભવમાં ગયેલ પિતાને તે કયાંથી મળશે ? એમ જાણે છે) તેપણ અન્ય ભવમાં ગયેલા પિતાને પુત્ર પિંડદાન આપે છે. સ્ત્રી જાર ક કરવાથી દૂષિત થતી નથી’ એવી જેએના ધર્મ શાસ્ત્રની વાણી છે તેઓને પેાતાની સ્ત્રીના રક્ષણુ માટે કલેશ પામતાં જોઇને લેકે તેની હીલના કરે છે. પરસ્ત્રીના સૉંગમાં મહા અવગુણુ છે એમ ખેલનારા પણ મહાદેવે ઋષિપત્નીઓને, કૃષ્ણે ગેાપીએને અને ઇંદ્રે તાપસી (અહલ્યા)ને ભાગવી છે. વિવેકરહિત તિર્યંચાના (વાછડા વાડીના) અને સ’જ્ઞારહિત વૃક્ષે (તુલસી પ્રમુખ)ના વિવાહ કરતાં. તએ પેાતાનેજ અચેતન (અજ્ઞાની) જણાવે છે. અટવીમાં રહેવાવાળા, સુકા ઘાસ પ્રમુખનો આહાર કરવાવાળા અને વાયુનું ધાન કરવાવાળા હરણાદિ નિરપરાધી જીવાને મારનાર જીવા કુતરાની જેવી આજીવિકાને કરવાવાળા છે. ‘માંસ વિનાનું ભાજન રાજાઓને ન હેાય' એ પ્રમાણે બેલનારા કેટલાક વાચાળ પુરુષા પેાતાના સ્વામીને (રાજાને) પણ સ‘સરઆવત્ત માં ડુબાવે છે. કેટલાએક આત્માને અવિદ્યમાન માને છે અર્થાત્ આત્મા (જીવ) છેજ નહીં એમ માને છે, કેટલાએક આત્માને સવ્યાપક માને છે, કેટલાએક તેને ક્ષણે ક્ષણે નાશ થતા માને છે અને કેટલાએક આત્માને શરીર સાથે લેપાયેલે માને છે અર્થાત્ એકરૂપ માને છે.
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy