SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ma w લવણસમુદ્રની શિખા ૨૯૩ તેમના નીચેના ત્રીજા ભાગમાં વાયુ છે, વચ્ચેના ત્રીજા ભાગમાં વાયુ અને પાણી છે અને ઉપરના ત્રીજા ભાગમાં પાણી છે. તેમના અધિપતિદેવો પલ્યોપમ આયુષ્યવાળા છે. પિતાલકલશોની વિગત : | કમ| વિગત મહાપાતાલકલશ | નાના પાતાલકલશ મુખનો વિસ્તાર | ૧૦,૦૦૦ યોજન ૧૦૦ યોજના વચ્ચેનો વિસ્તાર | ૧,૦૦,૦૦૦ યોજના ૧,000 યોજન તળીયાનો વિસ્તાર | ૧૦,૦૦૦ યોજન | ૧૦૦ યોજના ઊંડાઈ | 1,00,000 યોજન | ૧,000 યોજના દિવાલોની જાડાઈ | ૧,000 યોજન | ૧૦ યોજન | પરસ્પર અંતર ૨,૨૭,૧૭૦, યોજન લવણસમુદ્રની શિખા : લવણસમુદ્રના બન્ને કિનારાથી ૯૫,000 યોજન છોડીને વચ્ચે ૧૦.000 યોજન પહોળી, ૧૬,000 યોજન ઊંચી અને ૧,૦૦૦ યોજન ઊંડા પાણીની શિખા આવેલી છે. - અહોરાત્રમાં બે વાર પાતાલકલશોમાં નીચેના ભાગમાં અને મધ્યમભાગમાં નવા ઔદારિક વાયુઓ ઉત્પન્ન થાય છે. તે વાયુઓ પરસ્પર ભેગા થઈને ખળભળે છે. તેથી જલની વૃદ્ધિ થાય છે. તેથી અહોરાત્રમાં બે વાર લવણસમુદ્રની શિખા દેશોન ૧/૨ યોજન જેટલી વધે છે. અહોરાત્રમાં બે વાર જ્યારે પાતાલકલશોનો વાયુ ઉપશાંત થાય છે ત્યારે આ શિખા દેશોન ‘, યોજન ઘટે છે. નાગકુમારના ૪૨,૦૦૦ દેવો લવણસમુદ્રની શિખાને જંબૂદ્વીપમાં પ્રવેશતી અટકાવે છે. નાગકુમારના ૭૨,૦૦૦ દેવો લવણસમુદ્રની શિખાને ધાતકીખંડમાં પ્રવેશતી અટકાવે છે. નાગકુમારના ૬૦,૦૦૦ દેવો લવણસમુદ્રની શિખાની ઉપર દેશોન || યોજનથી ઉપર વધતા જલને અટકાવે છે. આ બધા દેવો પાણીની વેલાને અટકાવે છે માટે વેલંધર દેવો કહેવાય છે. તે દેવો કુલ ૧,૭૪,૦૦૦ છે. લવણસમુદ્રમાં ચારે દિશામાં ૪૨,000 યોજન જઈને ૧-૧ વેલંધર પર્વત આવેલ છે. કુલ ૪ પર્વત છે. તે વેલંધરદેવોના આવાસ છે. તેમના નામ આ પ્રમાણે છે
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy