SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ દિગ્ગજફૂટ, નંદનવન પ્રાસાદો ઈશાનેન્દ્રના છે. અગ્નિ અને નૈઋત્યખૂણાના પ્રાસાદો શક્રના છે. દરેક પ્રાસાદમાં પરિવાર સહિત ઈન્દ્રના સિંહાસનો છે. ૮ દિગ્ગજકૂટ : - ઉપર કહેલા ૪ પ્રાસાદ અને ૪ સિદ્ધાયતનના ૮ આંતરામાં ૮ દિગ્ગજકૂટ છે. એમને કરિટ પણ કહેવાય છે. તેમની ઉપર ૧-૧ પ્રાસાદાવતંસક છે. આ કૂટો અને પ્રાસાદાવતંસકો લઘુહિમવંતપર્વતના કૂટો અને પ્રાસાદાવતંસકો જેવા છે. તેમના નામ આ પ્રમાણે છે – મેરુપર્વતથી ઈશાનખૂણામાં પૂર્વાભિમુખ જતી સીતાની ઉત્તરમાં પદ્મોત્તર ફૂટ છે. ત્યાર પછી પ્રદક્ષિણાવર્ત ક્રમે નીલવંત, સુહસ્તી, અંજનગિરિ, કુમુદ, પલાશ, અવતંસક, રોચનિગિર કૂટો છે. તે લઘુહિમવંતપર્વત પરના કૂટો સમાન છે. કૂટોના અધિપતિ ફૂટોના નામવાળા દેવો છે. તેમના આયુષ્ય, પરિવાર, રાજધાની દક્ષિણભરતાર્ધદેવની જેમ જાણવા. મેરુપર્વતથી ઉત્તર તરફના કૂટોના અધિપતિ દેવોની રાજધાની મેરુપર્વતથી ઉત્તરમાં છે. મેરુપર્વતથી દક્ષિણ તરફના કૂટોના અધિપતિ દેવોની રાજધાની મેરુપર્વતથી દક્ષિણમાં છે. નંદનવન ઃ મેરુપર્વતની તળેટીથી ૫૦૦ યોજન ઉપર જતા ૫૦૦ યોજન પહોળુ વલયાકાર નંદનવન છે. તેની બહારની બાજુ મેરુપર્વતની પહોળાઈ = ૧૦,૦૦૦ = ૧૦,૦૦૦ – ૪૫ ૪ યોજન ૯,૯૫૪ : યોજન નંદનવનની અંદરની બાજુ મેરુપર્વતની પહોળાઈ ૬ = ૯,૯૫૪ (૫૦૦ + ૫૦૦) ૧૧ = ૯,૯૫૪ ૧,૦૦૦ = ૮,૯૫૪ ૬ યોજન = ૧૧ - (૫૦૦ × ૧) -
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy