SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ દેશમાં પહોંચી ગયા. ત્યાંને રસ્તો ઘણે વિષમ હોવાથી તે લોકેએ બે મોટા બકરા ખરીદ્યા. તે પર બને સવાર થઈ પંથ કાપવા લાગ્યા. કેટલાક માઈલ ચાલ્યા પછી રુદ્રદત્ત ચારુદત્તને કહ્યું “હે ભાઈ! અહીંથી આપણે સુવર્ણભૂમિ પહોંચવા અસમર્થ છીએ માટે તું માને તે એક ઉપાય બતાવું.” ચારુદત્તના કહેવાથી તે બે અહીં ભારંડ પક્ષી મોટી સંખ્યામાં વાસ કરે છે માટે આ બકરાંઓને મારી તેના ળિયાંની મસક બનાવી આપણે અંદર બેસી જઈએ. પછી ભાખંડ પક્ષી તાજું માંસ જોઈ આપણને ઉપાડી ઊડશે, અને સુવર્ણભૂમિ પહોંચાડશે. તેથી આપણને મનવાંછિત ફળની સિદ્ધિ થાશે.” તે સાંભળી ચારુદત્ત બોલ્યો. “હે વડીલ ! આ બકરાના પ્રતાપે આપણે વિકટ વન વટાવીને અહીં સુધી આવી પહોંચ્યા છીએ અને તમે તેને જ મારવા કહે છે. તે ઉચિત નથી. જેવી પીડા આપણને થાય છે. તેવી જ બીજાના શરીરે પણ થાય છે. માટે હે કાકા ? તમે આની હત્યા ન કરે. જેમ પ્રમાદથી વિદ્યા પ્રાપ્ત થતી નથી, કુશીલ વડે ધન મળતું નથી, જેમ કપટ વડે મિત્રતા થતી નથી, તેમ હિંસા વડે • સને રથ ફળતા નથી. વળી હિંસા બીજા અવતારમાં પણ છે અત્યંત દુ:ખદાયી થાય છે.” તે સાંભળી રુદ્રદત્ત બોલ્યા, “જે સાંભળ, આ બકરા આપણુ પિતા, બાંધવ કે સંબંધી નથી. માટે હું તો આને મારીશ. એમ કહી તે પિતાના બકરાને છરી વડે ફાડી તેનું ચામડું ઉતારવા લાગ્ય, આ જઈ ચારુદત્ત વિચારવા લાગે, ધનને વિષે જે અત્યંત અનુ
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy