SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૨ બતાવે છે. “સાગારિયાગારેણં'=આગાર સહિત વર્તે તે સાગાર-ગૃહ સહિત વર્તે છે એ સાગાર તે જ સાગરિક=ગૃહસ્થ, તે જ આગાર=પ્રત્યાખ્યાનનો અપવાદ સાગારિક આકાર છે. તેનાથી અન્યત્રકતેને છોડીને પચ્ચકખાણ છે. હિં=જે કારણથી, સાધુને ગૃહસ્થ સમક્ષ વાપરવું કલ્પતું નથી; કેમ કે પ્રવચનના ઉપઘાતનો સંભવ છે. આથી જ કહેવાયું છે. “છ કાયના દયાવાળા પણ સંયત=સાધુ, બોધિને દુર્લભ કરે છે. શેમાં બોધિ દુર્લભ કરે છે એથી કહે છે. આહારમાં-વિહારમાં અને દુર્ગછિત પિંડ ગ્રહણમાં સાધુ બોધિને દુર્લભ કરે છે.” (ઓઘનિર્યુક્તિ ગા. ૪૪૩) અને તેથીeગૃહસ્થની સમક્ષ સાધુએ ભોજન કરવું જોઈએ નહિ તેથી, વાપરતા એવા સાધુને જ્યારે ગૃહસ્થ આવે છે જોગગૃહસ્થ ચલ છે=જઈ રહ્યો છે તો સાધુ ક્ષણ પ્રતીક્ષા કરે. હવે સ્થિર છે=ગૃહસ્થ જ્યાં સાધુ વાપરે છે ત્યાં જ આવીને બેસે છે, ત્યારે સ્વાધ્યાયાદિનો વિઘાત ન થાય અર્થાત્ ગૃહસ્થ લાંબો સમય બેસે તેટલો સમય સાધુ વાપર્યા વગર બેસી રહે તો સ્વાધ્યાયાદિતો વ્યાઘાત થાય તે ન થાય તેથી તે સ્થાનથી=જે સ્થાનમાં બેસી સાધુ એકાસણું કરે છે તે સ્થાનથી અન્યત્ર બેસીને વાપરનાર સાધુને ભંગ નથી=એકાસણાના પચ્ચખાણનો ભંગ નથી; કેમ કે સાગારિક નામનો આગાર છે. વળી, ગ્રહસ્થને જેનાથી જોવાયેલ ભોજન પચે નહિ તે વગેરે સાગારિક છે. અર્થાત્ તુચ્છ અન્ય કોઈ માણસ આવેલ હોય અને ગૃહસ્થ એકાસણું કરે છે ત્યારે તે માણસની દષ્ટિને કારણે પોતાને શારીરિક નુકસાન થવાની સંભાવના જણાય તો ગૃહસ્થ પણ એકાસણામાં તે સ્થાનને છોડી અન્યત્ર બેસે તો ‘સાગારિયાગારેણં તામતો આગાર હોવાથી પચ્ચકખાણનો ભંગ નથી. ‘આઉટણપસારણણ' આઉટણ=આકુંચન=જંઘાદિનું સંકોચન અને તેનું જ પ્રસારણ=જંઘાદિનું પ્રસારણ=સંકોચાયેલાનું ઋજુકરણ=લાંબા કરવું અને અસહિષ્ણુપણાથી આકુંચન-પ્રસારણ કરાયે છતે કંઈક આસન ચાલે છે. તેનાથી–તે ચલનથી અન્યત્ર=તે ચલનને છોડીને, પચ્ચકખાણ છે, તેથી પચ્ચખાણનો ભંગ નથી. ‘ગુરુઅદ્ભુઠ્ઠાણાં' ગુરુનું-અભ્યત્થાનને યોગ્ય એવા આચાર્યનું અથવા પ્રાપૂર્ણકનું અભ્યસ્થાન તેને આશ્રયીને આસનનું ત્યજત ગુરુઅભ્યત્થાન છે, તેનાથી અન્યત્ર તે અભ્યત્થાનને છોડીને, પચ્ચકખાણ છે અને અભ્યસ્થાનનું અવશ્ય કર્તવ્યપણું હોવાથી વાપરતા પણ સાધુ વડે અથવા વાપરતા પણ શ્રાવક વડે કર્તવ્ય છેઃઅભ્યત્થાન કર્તવ્ય છે. એથી તેમાં વાપરતાં-વાપરતાં એકાસણા સમયે ઊભા થવામાં, પ્રત્યાખ્યાનનો ભંગ નથી. પારિઠાવણિયાગારેણં' પારિસ્થાપલિકા આગાર સાધુને જ છે જે પ્રમાણે પરિષ્ઠાપત=સર્વથા ત્યજત પ્રયોજન છે આને તે પારિષ્ઠાપતિ,અન્ન તે જ આગાર છેઃપારિષ્ઠાપનિક આગાર છે. તેનાથી અન્યત્રકતેને છોડીનેeતે આગારને છોડીને, પચ્ચખાણ છે. હિં=જે કારણથી, તેનો ત્યાગ કરાયે છત-પારિષ્ઠાપતિક અન્નનો ત્યાગ કરાયે છતે, બહુ દોષતો સંભવ હોવાથી અને તેનું આશ્રયણ કરાયે છ7=પરઠવવા યોગ્ય અન્નનું કોઈ સાધુ ભોજન રૂપે આશ્રયણ કરે છતે, આગમિક વ્યાયથી ગુણનો
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy