SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪પ ૧૯૭ માટે=ઠગવા માટે, જે કંઈ આપે છે તે પણ અધિક ગ્રહણ કરવા માટે. ખેદની વાત છે કે વૃત્તિનો આ પ્રપંચ વાણિયાનો કોઈ પણ ગહન હોય છે.” પરા (). અને શ્રાવકને આવું કરવું ઉચિત નથી=વણિક જેવી પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. એથી ત્રીજો અતિચાર છે. ૪. દ્વિરાજ્યગતિ - અને શત્રુનો=વિરુદ્ધ રાજાનો, રાજ્ય=નિયમિત ભૂમિ અથવા કંટક=રાજ્યનો એક ભાગ. ત્યાં ગતિ=ગમન, તે શત્રુના રાજ્યમાં ગતિ છે=રાજાની અનુજ્ઞા હોતે છતે ગમન છે. એ પ્રમાણે અર્થ છે. શત્રુના રાજયમાં ગમતનું જોકે સ્વસ્વામીની અનુજ્ઞાનું સ્વામી અદન, જીવ અદત્ત, તીર્થંકર વડે તે પ્રમાણે જ ગુરુ વડે અદત્ત.' (નવપદ પ્રકરણ ગા. ૩૮) એ પ્રકારના અદત્તાદાન લક્ષણના યોગથી તેના કરનારને ચોરી સંબંધી દંડના યોગ વડે અદત્તાદાનરૂપપણું હોવાથી વ્રતભંગ જ છે. તોપણ ‘શત્રુના રાજ્યમાં ગમન કરનારા મારા વડે વાણિજય જ કરાયું છે. ચોરી નહિ.' એ પ્રકારની ભાવના વડે વ્રતસાપેક્ષપણું હોવાથી અને લોકોમાં આ ચોર છે એ પ્રમાણે વ્યપદેશનો અભાવ હોવાથી અતિચારતા છે. ઉપલક્ષણપણું હોવાથી રાજાની નિષિદ્ધ વસ્તુનું ગ્રહણ પણ તે પ્રમાણે છે=અતિચાર છે. એ ચોથો અતિચાર છે. ૫. પ્રતિરૂપથી ક્રિયા :- અને વળી પ્રતિરૂપ= દશ, વ્રીહિતી સદશ પલંજિ=ધાવ્યવિશેષ, ઘીની સદશ વસા-ચરબી, તેલની સદશ મૂત્રમ્, હિંગની સદશ ખદિરાદિનું વેષ્ટ, ચણકાદિનું પિષ્ટ અથવા ગુંદાદિ, કુંકુમ=કેસરનું કૃત્રિમ એવું તે અથવા કુસુમ્માદિ, મંજિષ્ણદિનું સદશ ચિત્રકાદિ છે. જાત્યાદિ કર્પર, મણિ, મોતી, સુવર્ણ, ચાંદી આદિનું કૃત્રિમ તે-તે આદિ છે–તે-તે આદિ સદશ છે. તે પ્રતિરૂપથી ક્રિયા વ્યવહાર, વીહાદિમાં પલંજિ આદિનો પ્રક્ષેપ કરીને-તે-તે વેચે છે અથવા ચોરાયેલી શિંગડાવાળી ગાયોનું અગ્નિથી પક્વ કાલિંગીકલના સ્વેદાદિ દ્વારા શિંગડાને અધોમુખવાળા અથવા પ્રગુણવાળા તિથ્ય વળેલા યથારુચિ કરીને તેઓને અવ્યવિધત્વની જેમ કરીને=અન્ય ગાયની જેમ કરીને, સુખપૂર્વક ધારણ-વિક્રયાદિ કરે છે. એ પાંચમો અતિચાર છે. માનવિપ્લવ અને પ્રતિરૂપથી ક્રિયા બંને પરને ઠગવા વડે પરના ધનનું ગ્રહણરૂપપણું હોવાથી ભંગ જ છે. ફક્ત ખાત્રખરતાદિક જ ચૌર્ય તરીકે પ્રસિદ્ધ છે. વળી, મારા વડે વણિકકળા જ કરાય છે. એ પ્રકારની ભાવનાથી વ્રતરક્ષણમાં ઉધતપણું હોવાથી અતિચાર છે. અથવા ચોરથી લાવેલ ગ્રહણાદિ પાંચે પણ આ અતિચારો, વ્યક્ત ચોરીરૂપ જ છે. કેવલ સહસાત્કાર આદિ દ્વારા કે અતિક્રમાદિ દ્વારા પ્રકારથી કરાતા અતિચારપણાથી વ્યપદેશ કરાય છે. અને આ પાંચ અતિચારો રાજસેવકોને સંભવતા નથી એમ નહિ. તે આ પ્રમાણે – પ્રથમના બંને અતિચારોનો સ્પષ્ટ જ તેઓને સંભવ છે. વળી, શત્રુના રાજ્યમાં ગમન, જ્યારે કોઈક સામંતાદિ સ્વસ્વામીની વૃત્તિને ગ્રહણ કરે છે અને તેના વિરુદ્ધ રાજાને સહાયક થાય છે ત્યારે તેને અતિચાર થાય છે. માનવિપ્લવ અને પ્રતિરૂપ ક્રિયા જ્યારે રાજા ભંડારમાં માનનું અથાણું કે દ્રવ્યનો વિનિમય કરાવે છે ત્યારે રાજાને પણ અતિચાર થાય છે. ૪પા
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy