SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ભવ્ય છે પૂજા કરે યાત્રા કરે અને મહાન મહત્સવ વિગેરે કરે તેમજ બીજા ને પણ ઉપદેશ આપીને હર્ષ પૂર્વક ગિરિરાજની ભક્તિ પૂજા જાત્રા ને મહોત્સવ વિગેરે કરાવે, તેમજ શ્રી કબગિરિની પૂજા ભક્તિ યાત્રા મહત્સવ આદિ કરતા બીજા ની અનુદન કરે એટલે અહે આ ભવ્ય જીવે કેવી તીર્થભક્તિ કરે છે. અમારે પણ એ ધન્ય દિવસ કયારે આવશે કે જેથી અમો પણ આ રીતે શ્રી કદંબ ગિરિરાજની પૂજાભક્તિ વગેરે કરી એ ઈત્યાદિ ભાવના-અને રથ ચિંતવે તે એ પ્રમાણે પૂજા ભક્તિ આદિ કરનાર કરાવનાર અને અનુમોદનાર એ પ્રકારના ભવ્ય જીવો આત્મ ત્રાદ્ધિની અધિક અધિક વૃદ્ધિ પામે એટલે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મિક ગુણની અત્યંત વૃદ્ધિ કરે અને તેથી બદ્ધલક્ષ્ય છે એટલે જેઓએ શ્રી કદંબગિરિ તીર્થની ભક્તિનું જ એક લક્ષ્ય રાખેલ છે અથવા તેવી ભક્તિથી કેવળ મોક્ષપ્રાપ્તિનું જ એક લક્ષ્ય રાખેલ છે, પરંતુ આ લોકની તથા પરલોકની ચક્રવતીપણું દેવેન્દ્રપણું વગેરેની તુરછ ચપલ ને અસાર ત્રાદ્ધિઓ મેળવવા તરફ લક્ષ્ય રાખ્યું નથી, એવા એ બઢલય ભગ્યાત્માઓ પર માઈ કલ્યાણને પામે છે. એટએ મોક્ષ એજ પરમ અર્થ પરમ કાર્ય અથવા પરમ પ્રજન હોવાથી પરમાર્થ કહેવાય, તે મેક્ષના કલ્યાણને એટલે મોક્ષના અભ્યાબાધ અખંડિત અને અનન્ત સુખને પામે છે. પરંતુ જે જી કેવળ આ લોકના સુખની પ્રાપ્તિના જ લક્ષયવાળા થઈને જે શ્રીકદંબગિરિરાજની પૂજા ભક્તિ વગેરે કરે તે તેઓને આ લોકનું સુખ અવશ્ય મળે પરન્તુ મિક્ષ સુખથી તેઓ વંચિત
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy