SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ તુષ્ટમાન થયે તે જીવને કામધેનુ ગાય વડે શું? ચિન્તામણિ રત્ન વડે શું? કામલતા વડે શું? તથા કલ્પવૃક્ષ વિગેરે વડે શું? એટલે એ કામધેનું વિગેરે ના લેકના સુખયાળી વસ્તુઓથી શું પ્રયોજન હોય? કારણ કે એ ભાગ્યશાળી જીવને તે એ ગિરિની આરાધનાથી અનેક આત્મલધિઓ પ્રાપ્ત થાય છે. જેથી તેવી આત્મલબ્ધિઓવાળા ગી મહાત્માઓને તે કામધેનુ ગાય આદિ વસ્તુઓ અત્યંત તુચ્છ લાગે છે. માટે એવા જીવોને કામધેનુ આદિ અન્ય કે વસ્તુનું પ્રયોજન નથી. કેવળ આત્મ ઉન્નતિવાળા એગમાર્ગનું જ પ્રયેાજન છે. મારેલા - આ તીર્થમાં પ્રકાશવન્તી ઔષધિએ. जत्थोसहीउ नत्त-नियमा विमलं सुविसरपसरेहिं॥ तिमिरं नासंति जहा-निद्धणगेहाउ दारिदं ॥ ३० ॥ સ્પષ્ટાથે–નિધનના ઘરમાંથી જેમ દારિદ્રય દુખ નાશ પામે છે, તેમ ઔષધિઓ એટલે ચળકતી વનસ્પતિઓ પણ પિતાનાં પ્રકાશનાં કાન્તિનાં નિર્મળ કિરણે વડે રાત્રે ૧ લોકમાં ઇચ્છિત વસ્તુ આપનારી દૈવી ગાયને કામધેનુ કહે છે, એજ રીતે ઈચ્છિત વસ્તુ આપનાર ચિન્તામણું રત્ન,ને ઈચ્છિત વસ્તુ આપનારી ચિત્રાવલી સરખી કઈ વલ્લીને કામલતા કહે છે, અને કલ્પવૃક્ષ તે પ્રસિદ્ધ છે, કે જે યુગલિક કાળમાં ૧૦ કર્મભૂમિમાં હોય છે, અને દેવકુવદિ યુગલ ક્ષેત્રમાં સર્વદા છે, તેમજ દેવલોકમાં પણ હોય છે, એ વૃક્ષે ૧૦ પ્રકારનાં છે તે તેસઠ શલાકા પુરૂષ ચરિત્ર વિગેરેમાં જણાવ્યા છે.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy