SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત– થઈ રહ્યો છે તે કાર્તિક ચામાસુ તમારા સત્કૃત્ય રૂપી ધાન્યના લને માટે થાઓ. ૧૫૯ સ્પા :-અહીં કાર્તિક ચામાસાનુ વર્ણન કરતાં ગ્રંથકાર જણાવે છે કે જેમ ચામાસામાં વરસાદ આવવાથી સરોવર પાણીથી ભરાઈ જાય છે તેવી રીતે કાર્તિક ચામાસાને વિષે ગુરૂના વ્યાખ્યાન રૂપ મેઘ જાણવા અને તેમાં ઉપદેશ રૂપી જલ જાણવું. તે જલ વડે કરીને સુશ્રાવકના મન રૂપી સાવરા ભરાય છે. ( છલકાય છે ) અથવા તા આ ઉપદેશ રૂપી પાણીથી સુશ્રાવકાના મન પ્રફુલ્લિત થાય છે. જેમ વર્ષા ઋતુમાં નદીના પ્રવાહ ચાલે છે તેમ આ વ્યાખ્યાનરૂપ મેધથી પ્રીતિ રૂપી નદીના પ્રવાહ ચાલે છે. જેમ ચામાસાના પાણીના પ્રવાહથી ધૂળ વગેરે તણાઈ જાય છે તેમ અહી વ્યાખ્યાન રૂપો મેઘ વરસવાથી પાપ રૂપી રજના નાશ થાય છે. જેમ ચામાસામાં દેડકાના તથા મેારના શબ્દ સંભળાય છે તેમ અહી ખાલ શ્રાવકા રૂપી દેડકા તથા મારના પઠન એટલે ગોખવું તથા સ્વાધ્યાય એટલે ભણેલ સભારી જવું તે રૂપી કાલાહલ સંભળાય છે. તથા ચામાસામાં અંતે ધાન્ય પાકે છે તેમ હું ભવ્ય જીવે! ! આ કાર્તિક ચામાસુ તમને સત્કૃત્ય રૂપી અનાજને આપનારૂં નીવડેા. આ àાકમાં આષાઢ ચામાસાની શરૂઆતથી માંડીને ભવ્ય જીવાએ ગુરૂ મહારાજની પાસે જે જે લાભ મેળવ્યા તે સમ્પૂર્ણ લાભની બીના જણાવી છે. તે વ્યાજબીજ છે. ચામાસામાં કરેલી ખેતીના લાભ છેવટે જ મળે છે. ૧૫૯ અવતરણ:—હવે કાર્તિક ચાતુર્માસના પારણાનેા ઉપદેશ કહે છે:
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy