SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦. ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૭ પ્રયોજનથી બોલાયેલી અસત્યામૃષાભાષા, સત્યમાં જ અંતર્ભાવ પામે છે, તે પંચસંગ્રહની ટીકામાં જ કહેવાયું છે. “આ પણ=અસત્યામૃષા પણ, વ્યવહારનયના મતની અપેક્ષાએ જાણવી. અન્યથા=વ્યવહારનયની વિવક્ષા ન કરવામાં આવે અને નિશ્ચયનયથી વિચારવામાં આવે તો, ઠગવા આદિ બુદ્ધિપૂર્વક અસત્યમાં અંતર્ભાવ પામે છે. વળી અચ=ઉચિત પ્રવૃત્તિના પ્રયોજનથી બોલાયેલી અસત્યામૃષાભાષા, સત્યમાં અંતર્ભાવ પામે છે.” (પંચસંગ્રહ) ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. II૧થા ભાવાર્થનિશ્ચયનયથી સત્ય અને મૃષા બે પ્રકારની જ ભાષા - નિશ્ચયનયથી ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા બે પ્રકારની છે. (૧) સત્ય (૨) મૃષા; કેમ કે નિશ્ચયનય યથાર્થ બોલાયેલી ભાષાને સત્ય કહે છે અને વિપરીત બોલાયેલી કે દુષ્ટ આશયથી બોલાયેલી ભાષાને અસત્ય કહે છે. અશોકવન એ પ્રકારના વચનપ્રયોગમાં વ્યવહારનય સત્યામૃષાભાષા કહે છે ત્યાં અશોક સિવાયનાં અન્ય વૃક્ષો હોવાથી તાત્પર્યનો બાધ થાય છે, તેથી નિશ્ચયનય અનુસાર તે ભાષા અસત્યમાં જ અંતર્ભાવ પામે છે. કોઈ પુરુષ ઉચિત બોધ કરાવવાના શુભ આશયથી પણ અશોકવન એ પ્રકારનો વચનપ્રયોગ કરે તો તે વચન અનુસાર અર્થ નહિ હોવાથી તે ભાષા અસત્ય જ બને છે. જેમ “એકાંત નિત્ય જીવ છે તે વચન પણ જીવરૂપ પદાર્થના વાસ્તવિક સ્વરૂપથી વિપરીત પદાર્થને કહેનાર છે તેથી અસત્યભાષા છે, તેમ અશોકવન એ વચન પણ વસ્તુના સ્વરૂપથી વિપરીત કહેનાર હોવાથી અસત્ય જ છે. વસ્તુતઃ અબાધિત તાત્પર્યવાળા વચનનું જ સત્યપણું છે જેમ “સ અસરૂપ જીવ છે” એ વચન સત્ય છે. આ કથનને પુષ્ટ કરવા અર્થે યુક્તિ બતાવે છે – જેમ કોઈ કહે કે “દ્રવ્ય રૂપવાળું છે' તે કથન કરનાર પુરુષના વચનના પ્રતિસંધાનથી એ અર્થ પ્રાપ્ત થતો હોય કે પુદ્ગલદ્રવ્ય રૂપવાળું છે તો દેશમાં તાત્પર્યનો અભેદ હોવાથી=છ દ્રવ્યમાંથી પુદ્ગલદ્રવ્યરૂપ દેશમાં તાત્પર્યનો અભેદ હોવાથી, તે વચન પ્રમાણભૂત કહેવાય છે. તે પ્રકારની વિવેક્ષા વગર સર્વદ્રવ્ય રૂપવાળાં છે તે અર્થમાં ‘દ્રવ્ય રૂપવાળું છે' એ પ્રયોગ થયેલો હોય તો કહેનારના વચનથી કાર્ચથી દ્રવ્યની સાથે રૂપના અભેદની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સર્વદ્રવ્યો રૂપવાળાં છે એ પ્રકારના અર્થની પ્રાપ્તિ થાય છે તે અપેક્ષાએ તે વચન અપ્રમાણરૂપ છે. અબાધિત તાત્પર્યવાળું આ વચન નહીં હોવાથી નિશ્ચયનયથી આ ભાષાને અસત્યભાષા કહેવાય છે. જેમ ‘દ્રવ્ય રૂપવાળું છે” એ વચન અબાધિત તાત્પર્યવાળું નહીં હોવાના કારણે અપ્રમાણરૂપ હોવાથી નિશ્ચયનયના મતે મૃષા છે, તેમ અશોકવન એ પ્રકારના વચનપ્રયોગને પણ મૃષામાં જ અંતર્ભાવ કરવો પડે; કેમ કે અશોકવન એ પ્રયોગમાં વૃક્ષના સમૂહમ્પ વનમાં અશોકના અભેદના તાત્પર્યનો બોધ છે તેથી મૃષાપણું સ્પષ્ટ છે. વળી અહીં કોઈ શંકા કરે કે વૃક્ષના સમૂહના એક દેશમાં અશોકવનના અભેદનો અન્વય અમે કરીશું,
SR No.022031
Book TitleBhasha Rahasya Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy