________________
બી જ બુસ્વામી નામના ચરસકેવલીની કથા | ( w) રાજાએ તે બન્નેને અભય આપ્યું. એટલે મહાવતે હસ્તિને ધીમે ધીમે તેને સ્થાનકે પહોંચાડશે.
પછી રાજાના ભયથી નાસી જતા તે બન્ને જણું (મહાવત અને રાણું) કે એક ગામ પાસે આવી પહોચ્યાં. ત્યાં તેઓ એક શૂન્ય દેવાલયમાં સાથે સૂતાં. હવે એમ બન્યું કે તેજ ગામમાં મધ્ય રાત્રીએ ચોરી કરીને નાસી જતા ચેર પાછલ આવતા રક્ષક પુરૂષના ભયથી તે મંદીરમાં પ્રવેશ કર્યો. “ સવારે આપણે ચોરને પકડી લઈશ. ” એમ નિશ્ચય કરી રક્ષક પુરૂષે દેવમંદીરને ફરી વલ્યા. અહીં મહેલની પેઠે દેવમંદીરમાં પેલો ચાર હાથ ફેરવતા ફેરવતો જયાં પેલા બન્ને જણાં સૂતાં હતાં, ત્યાં આવી પહોંચે. ચેરે સ્પર્શ કર્યો છતાં મહાવત જાગ્યો નહીં, કારણ થાકી જવાથી ઉંઘી ગએલા માણસને બહુ નિદ્રા આવે છે. રાણુને ચોરના હાથને સ્પર્શ થયો કે તે તુરત જાગી ગઈ અને સ્પર્શ માત્રથી અનુરક્ત થવાને લીધે તેણે પેલાને પૂછયું કે “ તું કેણ છે ? ” તેણે ઉત્તર આપે કે “ હું ચોર છું. હે શુભે ! હારી પાછલ રક્ષક પુરૂષે દેડતા આવતા હતા તેથી હું હારા પ્રાણનું રક્ષણ કરવા માટે અહીં પેઠો છું. ” વ્યભિચારિણી રાણીએ કહ્યું. “ હું
હારા ઉપર બહુ અનુરાગવાલી થઈ છું, માટે જે તું મને અંગીકાર કરે તે હું તને નિચે બચાવું.” ચારે કહ્યું. “ તું એક તો હારા પ્રાણ બચાવે છે અને બીજું
મ્હારી સ્ત્રી થાય છે, તે પછી આજે મને સુગંધવાળું સુવર્ણ મલ્યું એમ થયું છે. પણ હે ભદ્રે ! હું તને પૂછું છું કે તું મને શી રીતે બચાવીશ ? તે તું મને કહીને શાંત કર. ” સ્ત્રીએ કહ્યું. “ સવારે રાજપુરૂષ આવીને પૂછશે ત્યારે હું તને દેખાડીને કહીશ કે આ હારે પતિ છે. ” ચોરે કહ્યું. “ એમ થાઓ.” - પ્રભાત થતાં ઉગ્ર કર્મ કરનારા અને શસ્ત્રધારી સુભટએ આવીને ક્રોધથી તે ત્રણે જણને પૂછયું કે “ તમારામાં ચાર કેણ છે? ”ધર્ત અને માયાવાલી સ્ત્રીએ તરત તે રક્ષક પુરૂષને પેલા ચાર સામે આંગળી કરીને કહ્યું કે “ આ હારે પતિ છે. ” પછી જડ એવા તે રક્ષક લોકોએ મહાવતને આજ્ઞાનથી ચોર જાણી તુરત શલિએ ચડાવ્ય. ધિક્કાર છે સ્ત્રી ઉપર પ્રીતિ રાખનારને. પછી શુળિ ઉપર પરેવાએલા ચોરને તૃષા લાગી, તેથી તે માર્ગને વિષે જેને જેને જતા દેખે, તેને તેને
મને પાણી પાઓ, પાણી પાઓ ” એમ કહે પણ કે રાજ્યભયને લીધે તેને પાણી પાય નહીં. કારણ કે સર્વે માણસ પોતાના આત્માનું રક્ષણ કરવા પછી ધર્મ કાર્ય કરે છે.
હવે જિનદાસ નામને કઈ શ્રાવક, તે રસ્તે થઈને જતે હતે, ચારે તેને જોઇ તેની પાસે પાણી માગ્યું, એટલે તેણે કહ્યું કે “ જો તું હારા કહ્યા પ્રમાણે કર તે હું તને પાણી લાવી આપું અને તે એજ કે હું જ્યાં સુધીમાં પાણી લાવી