________________
પ્રત્યેકમાં શ્રીકર સુનિ ક્ષત્રિ
ચાંડાળાને બ્રાહ્મણ કર્યા. પછી મહાત્સવ પૂર્વક કાંચન પુરમાં પ્રવેશ ને રાજ્યાભિષેક કર્યો. અનુક્રમે તે મહા પ્રતાપી થયા.
( ૧ ) કરાવી કરકડુ
હવે પેલા વંશના કકડાના પ્રતિવાદી બ્રાહ્મણુ, કરકડુને રાજા થએલા જાણી તેની પાસેથી એક ગામની ઇચ્છા કરતા છતા તે ભૂપતિની સભામાં આળ્યેા. કરકડુએ “કહે તું કેમ આવ્યે છું.” એમ પૂછવા ઉપરથી બ્રાહ્મણે કહ્યું. “મ્હારૂં ઘર ચંપા નગરીમાં છે. માટે તે દેશના એક ગામની હું. ઈચ્છા કરૂં છું.” કરક ડુએ “તને મ્હારી આજ્ઞાથી ચંપાપુરીને દધિવાહન રાજા એક ગામ આપશે.” એમ હીને તેને ચંપાપુરી પ્રત્યે મેલ્યા. બ્રાહ્મણે ત્યાં જઈ સર્વ વાત નિવેદન કરી. એટલે વિસ્મય પામેલા અને અંદરથી બહુ ક્રોધાતુર થએલા દધિવાહને કંઇક હસીને કહ્યું, “અહા મૂઢપણાથી મરવાને ઇચ્છતા તે મૃગ સમાન બીકણુ મ્લેચ્છપુત્ર સિંહ સરખા મ્હારી સાથે શા માટે વિરોધ કરે છે ? સર્વે રાજાઓ તમુખ હાય છે માટે હું કૂત તને હું હણુતા નથી.તું અહિંથી ચાલ્યા જા અને હું મ્હારા ખડ્ગ, રૂપ તીથૅ કરીને તેની શુદ્ધિ કરીશ. મ્હારા ખડ્ગની તીક્ષણ ધારા રૂપ જલ વિના એ રાજાની પરવસ્તુની અભિલાષથી ઉત્પન્ન થએલા પાપ રૂપ કાદવથી શુદ્ધિ થવાની નથી. ” તે ફ્રી કરકડુ પાસે જઈ તેને સર્વ સત્ય વાત કરી. પછી ક્રોધ પામેલા કરક ડુએ, સૈન્ય ચપાપુરી તરફ મોકલ્યુ. પાતાની નગરીના સમીપે આવેલા તે સૈન્યને જાણી દધિવાહન રાજા પોતે કિલ્લાને સજ્જ કરી યુદ્ધ કરવા માટે નગર બહાર આવ્યા. જેટલામાં અન્ને સૈન્યેા યુદ્ધ કરવા તૈયાર થયા તેટલામાં પદ્માવતી સાધ્વીએ કરક ડુ પાસે જઈને કહ્યું કેઃ
“ હે કરકડુ ભૂપાલ ! તેં આ અયાગ્ય કર્મ શા માટે આરંભ્યું ? પિતા સર્વ પ્રાણીઓને પૂજ્ય હાય છે છતાં તે તેમની સાથે કેમ યુદ્ધ આરંભ્યું ? ” કરકડુ ભૂપાલે કહ્યું “ હે મહાતિ ! એ રાજા મ્હારા પિતા શી રીતે ? ” સાધ્વીએ મૂલથી આરભીને પેાતાના સર્વ વૃત્તાંત કહી સંભલાવ્યેા. પછી કરકડુ રાજા, સાધ્વી રૂપ પાતાની માતાને દધિવાહન રૂપ પોતાના પિતાને એલખી કાદવમાંથી નિકલેલાની પેઠે બહુ હુ પામ્યા તે પણ ચાવનથી મદોન્મત એવા તેણે અભિમાનથી પિતા દધિવાહન ન્રુપને નમસ્કાર કરવાનું ચિત્ત કર્યું નહી. નિલ મનવાલી સાધ્વીએ પણ તે માન્મત્ત એવા પુત્રનું વૃત્તાંત જાવા માટે તુરત ચંપાનગરીમાં પ્રવેશ કર્યા. મહેલના આંગણાંમાં આવતી એવી સાધ્વીને જોઇ વૃદ્ધ દાસીઓએ તેને એલખીને હર્ષથી તેના ચરણકમલમાં નમસ્કાર કો. દાસીઓએ વિજ્ઞાપના કરેલા રાજાએ પણ સંભ્રમથી ત્યાં આવી બહુ ભક્તિથી સાક્ષાત્ તપેાલક્ષ્મી રૂપ સાધ્વીને નમસ્કાર કર્યાં. મહાસતીએ આશિર્વાદ આપ્યા પછી રાજાએ તેણીને ગર્ભ સંબંધી વાત પૂછી એટલે તેણીએ કહ્યુ કે “ જેણે