________________
( ર )
શ્રીહેષિમડલ વૃત્તિ-ઉત્તરા
પકડવા માટે ત્યાં આવી પહએ. પછી પેલે ભાગ્યહીન પુરૂષ વડની નીચે દ્રષ્ટિથી જેવા લાગ્યો તે તેણે ગળવાની ઈચ્છાથી મુખ ફાડી રહેલા એક ભયંકર અજગરને દીઠે. એટલું જ નહિં પણ જાણે પ્રાણને હરણ કરનારા યમરાજના અતિ ભયંકર બાણે હોયની ? એવા ચાર દિશાએ રહેલા ચાર સર્પે તેના જેવામાં આવ્યા. દુષ્ટ આશયવાળા તે ચારે સર્પો ધમણના સરખા પોતાના મુખે કરીને કુંફાડા કરતા તે પુરૂષને દંશવા માટે ઉંચું જોઈ રહ્યા હતા. કાળે અને ધળ એમ બે ઉંદરડાઓ પિતાના દાંતરૂપ કરવતવડે કરીને તેજ વડશાખાને કાપવા માટે મહા પ્રયાસ કરતા હતા. પેલે મદેન્મત્ત હસ્તી પણ તે પુરૂષને નહિ પહોંચી શકવાથી બહુ રોષ કરતો સુંઢવડે તે વડશાખાને તાડન કરતા હતા. હસ્તીએ વડશાખાને બહુ કંપાવા માંડી તેથી તે ઉપર રહેલી મધમાખીઓ પોતાના તીક્ષણ મુખથી પેલા પુરૂષના સર્વ અંગે દંશ દેતી હતી પછી માખીઓ જેના સર્વ અંગને વિષે દંશ દેતી હતી અને તેથી જેને બહુ પીડા થતી હતી એ તે પુરૂષ કૂવાથી બહાર નીકળવા માટે બહુ ઉત્સાહ ધરતો હતો. આવા ભયંકર દુઃખમાં રહ્યા છતાં આકાશમાંથી પડતા જળબિંદુની પેઠે વડવૃક્ષ ઉપર રહેલા મધપુડામાંથી વારંવાર મધનું ટીપું પેલા પુરૂષના કપાળને વિષે પડતું હતું તે મધ ત્યાંથી ઉતરીને તેના મુખમાં જતું હતું, તેને ચાખીને પેલે પુરૂષ બહુ મોટું સુખ માનતે હતો.”
જંબૂકુમાર પ્રભવને કહે છે કે “હે પ્રભવ! તું એ દ્રષ્ટાંતના સ્પષ્ટાર્થને સાંભળ જે પુરૂષ કહ્યો છે તે સંસારી જીવ જાણ. જે અટવી કહી, તે સંસાર સમજ. હસ્તી તે મૃત્યુ અને કુ તે મનુષ્ય જન્મ જાણુ. વળી જે અજગર કહ્યો તે પ્રગટ વેદનાવાલું નરક જે ચાર દિશાએ ચાર સર્ષ કહ્યા તે ક્રોધાદિ (ક્રોધ, માન, માયા અને લોભ) ચાર કષાય જાણવા જે વટવૃક્ષની શાખા તે આયુષ્ય; જે “વેત અને કૃષ્ણ ઉંદર તે આયુષ્યને છેદનારા શુક્લ અને કૃષ્ણ પક્ષ જાણવા જે મધમાખીઓ તે રેગ અને જે મધનું ટીપું કહ્યું તે ક્ષણિક એવું વિષયસુખ જાણવું. હે સખે! સંસારથી ભય પામનાર કર્યો ઉત્તમ બુદ્ધિવાળે માણસ આવા તુચ્છ વિષય સુખને વિષે આસક્તિ પામે? અર્થાત્ કઈ ન પામે. હે મિત્ર ! હવે જે કદી તે દેવથી દુઃખી થએલા પુરૂષને કોઈ વિદ્યાધર કે દેવ ઉદ્ધાર કરે છે તે પુરૂષ છે
છે?” પ્રભવે કહ્યું. આપત્તિરૂપ સમુદ્રને વિષે બુડતે એ કે પુરૂષ તે સર્વ પ્રકારના ઉપકાર કરનારા ઉત્તમ પુરૂષને ન ઈચછે ?” જ બૂકુમારે કહ્યું. “હે સખે ! ત્યારે ગણાધીશ્વર સમાન તારનાર મલ્યા છતા હું સંસારરૂપ સમુદ્રમાં શા માટે હ?” પ્રભવે કહ્યું “હે બધે ! હારા માતા પિતા બહુ નેહવાલા છે, સ્ત્રીઓ અનુરક્ત છે છતાં કઠેર એ તું તેને કેમ ત્યજી દે છે? જ બકુમારે કહ્યું.
અહે! બંધુના નિબંધને વિષે બંધુ કેણ છે? કારણુ પ્રાણી કુબેરદત્તની પડે. પોતાના કર્મથી જ બંધાય છે. સાંભળ કુબેરદત્તનું શાંતઃ