________________
(૧૪).
શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ હજાર છસેને પિસ્તાલીશ માસક્ષમણુ થયાં હતાં. એક લાખ વર્ષ અને પાંચ દિવસમાં તે મહામુનિએ ત્યાંજ નિકાચિત એવું તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું.
જેને માટે કહ્યું છેકે, પરાયણતા, સારા વરસ ઝરવાળવાથી मासखमणा नंदणभवम्मि वीरस्स पणदिवसा ॥१॥
અર્થ શ્રીવીર પ્રભુને નંદનભવમાં અગીયાર લાખ, એંશી હજાર, છરો ને પીસ્તાલીસ માસક્ષમણના લાખ વર્ષને પણ દિવસે થયા. પછી એક માસના અનશન વ્રતથી મૃત્યુ પામેલા નંદન પ્રાણુત ક૯પમાં પુત્તરાવતંસ વિમાનને વિષે વિશ સાગરોપમ ના આયુષ્યવાળે દેવતા થયા. ત્યાંથી ચવીને નીચ નેત્રકર્મના અનુભાવથી બ્રાહ્મણ કંડ ગામને વિષે દેવાનંદાના ઉદરમાં અવતર્યા. આ વાત અવધિજ્ઞાનથી ઈન્દ્ર જાણી અને તેના હુકમથી હર્ષપૂર્વક હરિનગમેષદેવે દેવાનંદાના ઉદરમાંથી ગર્ભ લઈને સિદ્ધાર્થ રાજાની રાણી શ્રી ત્રિશલાના ઉદરમાં મૂકયે.
શ્રી વિરપ્રભુ ગતમને કહે છે કે, તે હું બાસી દિવસ સુધી આ દેવાનંદાના ઉદરને વિષે સ્થિર રહ્યો તેથી માતા પુત્રના મેહથી મને દેખી બહુ હર્ષ પામ્યા.”ગતમસ્વામી પ્રભુનાં આવાં વચન સાંભળી વિચારવા લાગ્યા કે “આ સંસારને ધિક્કાર છે જે તેને વિષે શ્રીજિનેશ્વરને પણ કમને અનુભવ કરવો પડે છે.” પ્રભુનાં આવાં ખરાં વચન સાંભળી સંસારથી ઉઠેગ પામેલા ઋષભદત્ત અને દેવાનંદાએ તુરત ચારિત્ર લીધું. અનુક્રમે અગીયાર અંગને અભ્યાસ કરી નિરતિચારપણે ચારિત્ર પાળી કર્મના ક્ષયથી છેડા કાલમાં તેઓ મોક્ષ પામ્યા.
" इति श्रीवीरमभुपूर्वपितृमातृश्रीरुषभदत्तदेवनंदासंबंधः"
संबुद्धो दाणं रिद्धिं वसहस्स जोअरिद्धि य।।
सो करकंडूराया कलिगजणवयवइ जयउ ॥ ५७॥ જે કરકડુ, બલદની યુવાવસ્થા. અને પુષ્ટ દેહ, શબ્દમાત્રથી બીજા વૃષભને ત્રાસ પમાડવું, ઈત્યાદિ સમૃદ્ધિ જોઈને તથા યુવાવસ્થા ગયા પછી તેજ બળદને અતિ દુર્બળ દેહ બીજા બળદેના યુદ્ધમાં પરાભવ અને નિરૂપતાદિક પણ જોઈ પ્રતિબંધ પામ્યા. તે કલિંગ દેશના ભૂપતિ કરકંડુ રાજા વિજયવંતા વર્તે છે ૫૭
पंचालदेशअहिवो, पूअमपूअं च इंदकेउस्स ।
दटुं विरत्तकामो पव्वइओ दोमुहनरिंदो ॥५८ ॥ ઈદ્રવજની લોકે કરેલી પૂજા અને લેકના જવા આવવાથી આમ તેમ અથડા વાને લીધે થએલી અપૂજા ઈ સંસાર સુખને ત્યજી દેનાર પંચાલ દેશના અષિપતિ દ્વિમુખ ભૂપતિએ દીક્ષા લીધી. ૫૮ છે
सुच्चा बहूण सदं वलयाणमसदहं च एगस्स । बुद्धो विदेहसामो, सक्केण परिखिओ अ नमी ॥ ५९ ॥