________________
શ્રીશિતલાચાય” નામના સરપુરકરની કથા.
(૨૧)
* 'श्री शितलाचार्य' नामना सूरिपुरंदरनी कथा -
કાઇ નગરમાં શીતલ કાંતિવાલેા અને સામ્યાદિ ગુણેાથી શીતલ સ્વભાવવાલા શીતલ નામે રાજપુત્ર હતા. તેને સદ્ગુણની સંપત્તિથી ઉત્તમ ભાગ્યવાલી એક મ્હેન હતી. તેને તેના પતિએ મહાત્સવ પૂર્વક કોઇ રાજાને પરણાવી હતી. તેને સદ્ભુજીથી શેાલતા એવા ચાર પુત્રા થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા એવા તે પુત્રા સ
કલાના જાણ થયા.
હવે શીતલે કેાઈ ગુરૂ પાસેથી દેશના સાંભલી વૈરાગ્યવાસિત થવાથી દીક્ષા લીધી. શીતલ મુનિ વિનયથી ગુરૂ પાસે અભ્યાસ કરતા છતા સ સિદ્ધાંતરૂપ સમુદ્રના પારગામી થયા. પછી શીતલને ચાગ્ય જાણી ગુરૂએ તેમને આચાર્ય પદ આપ્યું. અને પોતે બહુ ગુ@ાના મંદીરરૂપ પરમાર્થ સાધ્યા. પછી પંચાચારને ધારણ કરનારાઓમાં મુખ્ય એવા શીતલાચાર્ય ભવ્યજનાને પ્રતિબધ પમાડવા માટે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
હવે શીતલાચાર્યની મ્હેન પોતાના ચારે પુત્રા આગલ શીતલ ગુરૂના (પાતાના ભાઈના ) બહુ વખાણુ કરતી હતી. તેથી ચારે પુત્રાએ માતાએ કરેલી પ્રશ'સા સાંભલી વૈરાગ્યવાસિત થઈ કાઈ સ્થવિર સાધુ પાસે દીક્ષા લીધી. નિરંતર હર્ષ થી સર્વ સામાચારીને પાલતા અને ગુરૂના વિનય કરતા તે ચારે જણા અનુક્રમે અહુશ્રુત થયા.
'
એકદા તે ચારે મુનિએ પોતાના ગુરૂને વિન ંતિ કરવા લાગ્યા કે “ હું શુરા ! શ્રી શીતલાચાર્ય ગુરૂ અમારા મામા થાય છે. માટે જો આપ પ્રસન્ન ચિત્તથી આજ્ઞા આપે તે તેમને મલવાને ઉત્સાહવત એવા અમે તેમને વંદન કરવા માટે જઈએ. ” ગુરૂએ કહ્યુ “ હે વત્સા ! તેમને વન કરવા માટે જાએ, અમે શા માટે આજ્ઞા નહિ આપીએ ? કારણ શીતલસૂરીદ્ર પણ યુગેાત્તમ છે. ” પછી ગુરૂની આજ્ઞા લઈ શુભ મનવાલા તે ચારે મુનિયા, તુરત શીતલાચાર્યને વંદન કરવા માટે ચાલ્યા. વિધિથી વિહાર કરતા તે મુનિએ, જે નગરમાં ઉત્તમ બુદ્ધિવાલા શીતલાચાય રહેતા હતા તે નગરે સંધ્યાકાલે આવી પહોંચ્યા. પણ વિકાલ જાણી તેઆ પેાતાનું આગમન કાઇ શ્રાવક સાથે ગુરૂને જણાવી નગરની ખ્વાર દેવમંદીરમાં રહ્યા. ત્યાં તે ચારે મુનિઓ સાંઝનું સર્વ કૃત્ય કરી વિચારવા લાગ્યા કે “ આપણે અહીં આવી પહાચ્યાં છતાં આજે ગુરૂને વંદના કરી નહીં માટે ધિક્કાર છે આપણને, નિશ્ચે સવારે નગરમાં જઇ ત્રણ પ્રદક્ષિણા કરી આપણે શીતલ ગુરૂને સારી રીતે માંદીશું.
આ પ્રમાણે વૃદ્ધિ પામતા શુભ ધ્યાનથી તે ચારે મુનિએ રાત્રીમાં વિના પ્રયાસે કેવલજ્ઞાન પામ્યા. કૃતકૃત્યપણાથી ચારે સુનિ શ્રીશીતલાચાર્ય સદ્દગુરૂથી ત્યાંજ થયેલા લાભને જાણી સવારે પણ તે દેવમંદીરમાંજ રહ્યા,