SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪) શ્રી રષિએડલવૃત્તિ ઉત્તરાદ્ધ. ધર્મને વિષેજ એક મનવાલે અને પવિત્ર અંત:કરણવાલે તે ભૂપતિ મૃત્યુ પામીને સ્વર્ગસંપત્તિ પામે. પૂર્વ વિદેહક્ષેત્રને વિષે પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે પ્રસિદ્ધ નગરી છે. તેમાં વિમલકીતિ નામને રાજા, ઉત્તમ નીતિથી રાજ્ય કરતા હતા. તેને કમલલક્ષમી સરખી મનહર પદ્મશ્રી નામે સ્ત્રી હતી. પેલા સુગંધ નૃપતિને જીવ સ્વર્ગથી ચવી શૈદ સ્વમ સૂચિત તે પદ્મશ્રીના ઉદરને વિષે અવતર્યો. પદ્મશ્રીએ સારા અવસરે અદભૂત એવા પુત્રને જન્મ આપે. ભૂપતિએ તેનું મહત્સવ પૂર્વક અર્ક કીર્તિ એવું નામ પાડયું. લીલામાત્રમાં કલાચાર્ય પાસે સર્વ કલાઓને અભ્યાસ કરતે તે અર્કકીર્તિ, અનુક્રમે સ્ત્રીઓને વશ કરવામાં સમર્થ એવી વનાવસ્થા પાપે. તેને સાથે અભ્યાસ કરનારે. સાથે ક્રીડા કરનારે અને સાથે ફરનારે મેઘસેન નામે મિત્ર હતે. હવે ઉત્તર મથુરા નગરીમાં સાગરદર શ્રેષ્ઠીની લક્ષ્મીવતી સ્ત્રીને મંદિર નામે એક પુત્ર હતું. દક્ષિણ મથુરામાં નંદિમિત્ર નામના ધનવંત શ્રેષ્ઠીને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેઓને બે પુત્રી હતી. એક કમલશ્રી અને બીજી ગુણમાલા મંદિમિત્ર શ્રેષ્ઠીએ પિતાની બન્ને પુત્રીએ મંદિરને પરણાવી હતી. તે બન્ને સ્ત્રીઓના રૂપથી મેહ પામેલા અર્જકીતિ કુમારે, મેધસેન મિત્રની સહાયથી તે બન્ને સ્ત્રીનું હરણ કર્યું. આ વાતની નંદિમિત્રે તથા મંદિરે, વિમલકિતિ રાજાની આગલ ફરીયાદ કરી, તેથી તે ભૂપતિએ પુત્ર પાસેથી બને કન્યાઓને છોડાવી તે બન્ને શ્રેષ્ઠીઓને હર્ષ પમાડયા. ન્યાયવંત એવા વિમલકીતિ ભૂપતિએ પોતાના પુત્રને પ્રજાને પીડાકારી તથા અન્યાયી જાણી તેના મિત્ર મેધસેન સહિત પોતાના નગરમાંથી કાઢી મૂકો. સૂર્ય સમાન કાંતિવાલો અક્કીર્તિકુમાર પણ મિત્રસહિત ત્યાંથી નિકળીને સર્વ સ્ત્રીઓને મોહ પમાડતે છતે વીતશેકા નામની નગરી પ્રત્યે આવ્યું. ત્યાં તેણે ભૂપતિના મનહર ઉદ્યાનને જોઈ કોઈ માણસને પૂછયું કે –“ આ ઉદ્યાન કેવું છે?” તેણે કહ્યું. “આ નગરમાં તેજના પાત્ર રૂપ વિમલવાહન નામે રાજા રાજ્ય કરે છે. તેને શીલવ્રતથી ઉત્તમ કાંતિના સ્થાનરૂપ સુપ્રભા નામે સ્ત્રી છે. તેઓને જયવતી વિગેરે આઠ પુત્રીઓ છે. છે એ સર્વ પુત્રીઓનો પતિ ચક્રવતી થવાને છે.” એમ જોશીએ કહેલું હોવાથી વિમલવાહન ભૂપતિએ ચક્રવતિના જાણ માટે વિધિપૂર્વક રાધાવેધ રચે છે. તેણે અનુચરો મેકલી ચારે દિશાઓમાંથી બહુ રાજાઓને તેડાવ્યા હતા. પરંતુ કે રાધાવેધ સાધી શકશે નહીં. હે કુમારે! હું જાણું છું કે નિચે તમે રાધાવેધ સાધશે.” તે માણસનાં આવાં વચન સાંભલી હર્ષિત થએલો અકીર્તિકુમાર તે પુરૂષને ઉત્તમ ભેટથી સંતોષ પમાડી રાધાવેધને સ્થાનકે ગયે. ત્યાં દેદીપ્ય કાંતિવાળા તેણે બીજા અનેક ભૂપતિઓને ગ્લાનિ પમાડતાં છતાં અને ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતાં છતાં શીધ્ર રાધાવેધ સાધ્યા. પછી જેમ પૂર્વ દિશા વિગેરે આઠે દિશાએને સૂર્ય વરે, તેમ સાતે ઑને સહિત જયવતી કન્યાને અર્કકીર્તિ પર. જમર
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy