________________
શ્રી કેશીગણના સમય
(૩) કાળ પર્યંત શુદ્ધ એવા શ્રાદ્ધ ધર્મને પાલનારા તે ભૂપતિને તેની સ્ત્રીએ મારી નાખ્યા તેથી તે, સૂયૅલ દેવલેાકમાં સૂર્યસમાન કાંતિવાળેા મહા સમૃદ્ધિવાળા દેવતા થયા. આ પ્રમાણે પ્રદેશી રાજાને પ્રતિાધ પમાડીને પછી કેશી ગણધર બન્ય જ્નાને પ્રતિષેધ પમાડવા માટે શ્રાવસ્તી નગરીના તિક વનમાં સવસર્યો આ વખતે શ્રુત કેવળી ઇંદ્રભૂતિ (ગીતમ ) ભગવાન્ અનેક શિષ્યા સહિત વિહાર કરતા કરતા તેજ નગરીના કાષ્ટક વનમાં સમવસર્યો. હવે તે નગરીમાં વિહાર કરતા એવા તે બન્નેના શિષ્યાએ પરસ્પર એક બીજાના વેષને જોઇ ભ્રાંતિ પામવાથી તુરત તે વાત પોતપાતાના ગુરૂને કહી. પછી ગૈ!તમ ગણધર પેાતાના અને પરના શિષ્યાની શકા દૂર કરવા માટે જયેષ્ઠ અને વ્રતથી લાભ માની કેશિ ગુરૂ પાસે ગયા. પાતાના શિષ્ય સહિત આવતા એવા ગીતમ મુનિને જોઇ કેશિ ગણુધરે વિનયથી પાથરેલા દર્ભોસન ઉપર તેમને બેસાર્યા. પેાત પેાતાના શિષ્યગણુસહિત અને ઉપશમ રસથી પૂર્ણ એવા તે બન્ને સુગુરૂ, નિર્મલ જ્ઞાનવડે તેજથી સૂર્ય ચંદ્ર સમાન શેલતા હતા. અન્ને પક્ષને વિષે કુતુતુળ જોવા માટે હુ પામેલા બહુ માણસા એકઠા થયા હતા. એટલુંજ નહિ પણ “ અહિં મ્હોટા વાદ થશે” એમ કહેતા એવા દેવતાઓ પણ મહુ આવ્યા હતા, પછી મુનિએના સંશયના નાશ કરવા માટે કેશિ ગુરૂએ અન્ને હાથ જોડીને કહ્યું કે “હું ગાતમ ! હું જે તમને પૂછું તે કહેા ?” ગૌતમે કહ્યું “હું પૂજ્ગ્યા! તમને જે રૂચે તે પૂછેા.” ગાતમનાં આવાં વચન સાંભળી. વિનયના વિસ્તાર કરતા એવા કેશિ ગણુધરે પૂછ્યું. “ હે મુનિ ! શ્રી પાર્શ્વનાથ પ્રભુએ, ચાર મહાવ્રતા કહ્યાં છે અને શ્રી વીરપ્રભુએ પાંચ મહાવ્રતા કહ્યાં તે અપવર્ગ રૂપ સાધ્ય એક છતાં આ ભેદ કેમ ?” ગૌતમે કહ્યું. “ શ્રી આદિનાથના અવસરે જીવા સરળ જડ હતા ત્યારપછી મધ્યમ અવસરે સરળ પ્રાણ હતા અને વીર પ્રભુના અવસરે વક્ર જડ હતા. ગણમાં સરળ જડ જીવા હાય છે તેઓ ગુરૂએ કહેલા ધર્મને દુ:ખથી જાણી શકે છે. વજ્રજડ જીવે પણ ગુરૂ પ્રણીત ધર્મને અતિ કષ્ટથી જાણે છે તેમ પાળે પણ છે. પરંતુ મધ્યમ કાળને વિષે રહેલા શ્રેષ્ઠ પ્રજ્ઞા યુક્ત સરળ બુદ્ધિવાળા જીવા તા જિનધર્મને સુખેથી જાણી શકે છે અને રક્ષણુ કરી શકે છે. એજ કારણથી જિનેશ્વરીએ એ પ્રકારના ધર્મ કહેલા છે.
આ પ્રમાણે ગતમ ગુરૂએ કહ્યું એટલે કેશિ ગણુધરે કહ્યુ કે “ સંશયને હરણુ કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે ! માટે બીજો પણ એક મ્હારા સ’શય હરણ કરી. “ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પેાતાના શિષ્યાને ઇચ્છા પ્રમાણે વેષ ધારણ કરવા કહ્યો છે તેા પછી શ્રી વીર પ્રભુએ પેાતાના શિષ્યાને પ્રમાણવાળા વેષ શા માટે કહ્યો ?” ગાતમ ગુરૂએ કહ્યું. સ્થિર મનવાળાને વેષની કંઈ જરૂર નથી જેમકે વેષ વિના પણ સ્થિર મનવાળા ભરત રાજા કેવળી થયા અને વેષવાળા પ્રસન્નચંદ્ર વેશ્યાને જોઇ ચલાયમાન થયા જેથી તેમને નરકમાં પડવું પડયું. ”