________________
શ્રીતતલી નામના શુનિવરની કથા. (૧૨)
*श्री ' तेतलि' नामना मुनिवरनी कथा * જંબુદ્વીપના મધ્ય ભાગને વિષે પુષ્કલાવતી નામની વિજયમાં મહાવિદેહના આભૂષણ રૂપ પુંડરીકિણી નામે નગરી શેભે છે.
તે નગરીમાં સહસ્ત્રદલ કમલની પેઠે શ્રેષ્ઠ મહાપદ્ય નામે રાજ રાજ્ય કરતે હતે. દુર્જય શત્રુઓને તે ભૂપતિનું ખર્શ ઉત્તમ તીર્થરૂપ થયું હતું કે જેથી તે શત્રુસમૂહ સ્વર્ગમાં સુખના સ્થાનને પામ્યા હતા.
એકદા સુગુરૂ પાસે શ્રી અરિહંત ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા મહાપર્વ ભૂપતિએ સુખેથી પોતાનું વિસ્તારવંત રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. અનુક્રમે ઉત્કૃષ્ટતાથી અભ્યાસ કરતા તે મુનિ ચંદપૂર્વના જાણુ થયા. પછી દીર્ઘકાલપર્યત અતિચારરહિત ચારિત્ર પાલી સદુપદેશથી અસંખ્ય ભવ્યજનેને પ્રતિબંધ પમાડી નિર્મલ મનવાલા તે મહાપ રાજર્ષિ એક માસના અનશનથી મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકને વિષે દેવતા થયા. ત્યાંથી આવીને તેતલપુર નગરમાં કનકરથ ભૂપતિના મંત્રી તેતલિ પુત્રના પુત્ર રૂપે ઉત્પન્ન થયા. પિતાએ મહા મહોચ્છવપૂર્વક શુભ દિવસે સ્વજનની અનુમતિથી તે પુત્રનું તેતલિસુત એવું નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રે સર્વ કલાએને અભ્યાસ કર્યો. પછી વૈવનાવસ્થા પામેલા તે પુત્રને પિતાએ ઉત્તમ કન્યા સાથે પરણાવ્યું. પિતા તેતલિપુત્ર મૃત્યુ પામ્યું એટલે રાજાએ તેતલિસુતને હર્ષથી પ્રધાનપદે સ્થાપ્યો
એકદા રાજ્ય કાર્ય કરી તે તેતલિયુત પિતાના ઘેર જ હતે એવામાં તેણે ગોખમાં બેઠેલી કોઈ કન્યાને દીઠી. તેણીના રૂપથી મેહ પામેલા મંત્રીએ કઈ પતાના માણસને પૂછયું કે “હે ભદ્ર! આ ઘર કેવું છે અને આ વનવાલી કન્યા કોણ છે?” તે પુરૂષે ઉત્તર આપે. “ આ સોની શ્રેણીનું ઘર છે. અને આ નહિ પરણાવેલી તેની પિટ્ટિલા નામની વનવતી પુત્રી છે.” પછી તે કન્યા ઉપર રાગને લીધે પરતંત્ર બનેલા મંત્રીએ શ્રેષ્ઠી પાસે તેજ માણસને મોકલી પ્રાણુગ્રહણ કરવા માટે તે કન્યાનું માગું કર્યું. શ્રેષ્ઠીએ પણ તે મહા પ્રધાનને યોગ્ય વર જાણી હેટા મહોત્સવ પૂર્વક પિતાની પિટ્ટિલા નામની પુત્રી તેને પરણાવી. પછી તે તેતલિયત પ્રધાન પિફ્રિલાની સાથે દગંદક દેવતાની પેઠે યથેચ્છ ભેગ ભેગવવા લાગ્યો.
આ વખતે દુષ્ટ બુદ્ધિવાલે કનકરથ ભૂપતિ પિતાનું રાજ્યાદિ લઈ લેવાના ભયથી ઉત્પન્ન થતા એવા પુત્રોને મારી નાખત. આ અવસરે રાજાની પટ્ટરાણીને અને મંત્રીની પ્રિયાને દૈવયોગથી સાથેજ ગર્ભ રહ્યો. એક દિવસ પટ્ટરાણીએ તેતલિસુત પ્રધાનને એકાંતે કહ્યું. “તું હારા એક પુત્રનું કુલની સ્થિતિને માટે ગમે તે ઉપયથી રક્ષણ કર.” મંત્રી તે વાત અંગીકાર કરીને ગયા પછી અતિ હર્ષ પામેલી રાણ પુણ્યના સમૂહને સૂચવનારા ગર્ભને પિષણ કરવા લાગી. પૂર્ણ સમયે રાણીએ