SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં ખેચર-જલચર અને સ્થલચર પ્રાણીઓને હણનારાઓના ત્રણ ભવના સુકૃતો નાશ પામે છે એવા આપત્તિઓના સમૂહરૂપ શિકારને કયો બુદ્ધિશાળી માણસ કુતૂહલતાથી પણ આચરે? ।।૧૧૫।। જે ચોરી કરનારને પહેલા તો લાકડી આદિવડે માર પડે ત્યાર બાદ માથું મુંડાવવું પડે ત્યારબાદ ગધેડા પર બેસવાનો આડંબર અને પછી લોકોની ગાળોને સહન કરવી પડે ત્યારબાદ શૂળી ઉપર ચઢવું પડે અને ત્યારબાદ દુર્ગતિમાં ગમન થાય. ચોરીનું આચરણ કરનારના આવા ચરિત્રને વિચારી તેનો ત્યાગ કોણ ન કરે? ।।૧૧૬।। મનુષ્યના જે બાહ્ય પ્રાણો છે, નિર્મળ યશ છે, પવિત્ર કુળાચાર છે, અનુપમ મહત્તા અને શ્રેષ્ઠતા છે તથા જે કળાની ક્રીડા છે તેમજ અદ્વિતીય રૂપ છે એવા ધનને જેઓએ લીધું છે (ચોર્યું છે) તેઓએ તેનું આ બધુ પણ હરી લીધું છે. ।।૧૧૭।।
SR No.022011
Book TitleKasturi Prakar
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2013
Total Pages140
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy