SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૨૩ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્ક ૨ જાનું દાનપત્ર થઇ રd. ૭૩૪ ( ઇ. સ. ૧૨-૧૩) વૈશાખ સુદ ૧૫ આ લેખ મૂળ મી. એચ. ટી. પ્રિપે જ. . . . ૮ પા. ૨૨ માં પ્રસિદ્ધ કર્યો હતો. બ્રિટિશ મ્યુઝીયમના અસલ પતરા ઉપરથી હું એ ફરીથી પ્રસિદ્ધ કરું છું. મી. પ્રિન્સેપને તે પતરાં મી. ડબ્લ્યુ. પી. ગ્રાંટે આપ્યાં હતાં, અને તેમને વડોદરાના બેનીરામ” પાસેથી મળ્યાં હતાં. * બેનીરામ” તે પતરાંએની શેધ વિષે એવી હકીક્ત આપે છે કે, વડોદરા શહેરમાં એક ઘરને પાયે દાતા હતો તેમાંથી તે મળ્યાં હતાં, આ ત્રણ પતરાં છે, તે દરેક લગભગ ૧૧” લાંબું અને છેડે ૮” પહેર્યું છે, તથા મધ્યમાં ૭૫” પહોળું છે. લેખના રક્ષણ માટે કાંઠા સહેજ જાડા કરેલા હતા. લેખ એકંદરે સુરક્ષિત અને સુવાચ્ય છે. આ દાનપત્રને બે કડીઓ છે. ડાબી બાજુની કડી સાદી અને આશરે " જાડી અને ૩ વ્યાસની છે. જમણી બાજુની કડી ક" નડી અને ગોળાકાર નહીં, પણ વાંકીચૂંકી છે. આ કડી ઉપરની મદ્રા ગાળ અને ૧” વ્યાસની છે, તેની મધ્યમાં ” વ્યાસની નાની ઉપરણાવેલી જગ્યા છે, તેના ઉપર શિવની મૂર્તિ –( રિવાજ મુજબ)- તથા તે નીચે અસ્પણ અક્ષરે છે. ભાષા છેવટ સુધી સંરકત છે. આ લેખમાં વંશાવલી ગેવિંદ ૧ લાથી શરૂ થાય છે. તેના પુત્ર કને જયેષ્ઠ પુત્ર ઈન્દ્ર છે જે આપણે નથી. તેના નાના પુત્ર કૃષ્ણ ૧ લા એ તેના સંબંધીને કાઢી મૂક્યાનું કહ્યું છે. તેણે ચંહુ સાથે લઢાઈ કરી હતી. તેણે એલાપુરના ડુંગર અથવા ડુંગરી કિલ્લામાં પોતાનું થામાં નાંખ્યું હતું. આ રથળ ઓળખાયું નથી. પણ હું ધારું છું કે તે પશ્ચિમ ઘાટમાં ઉત્તર કાનારા ડિરેકટનું એલા પુર હોવું જોઈએ, ડો. બર્જેસ આ સ્થળને ઓરંગાબાદ ડિસ્ટિકટમાં દોલતાબાદ પાસે આવેલા હાલના એલા, જ્યાં આવાં પ્રખ્યાત શિલ્પકળાનાં ખંડેરો છે તે ગામ તરીકે ઓળખાવે છે. ગોવિદ ૨ ને અને તેનો પુત્ર કષ્ણ ૧ લો અને વિષે કંઈ પણ કહ્યા સિવાય લેખમાં તેના બીજા પુત્ર ધ્રુવ અને એના બેમાંથી મોટા પુત્ર ગોવિંદ ૩ જાની હકીકત આવે છે. તેમાં કહ્યું છે કે વિદ ૩ એ દૂરના દેશે તથા ગંગા અને યમુનાના પ્રદેશો જિત્યા હતા, સુધી લેખમાં ગેવર ૩ જા સુધી મુખ્ય વંશને આવ્યા છે. ત્યાર પછી ગોવિંદ 3 જાના નાના બંધુ ઈંદ્ર ૩ જાના નામથી તે વંશને ગુજરાતને વિભાગ શરૂ થાય છે. તે ગવદે આપેલા લોટના રાજાના પ્રાંત અધિકાર ધારણ કરે છે, બુલ્ડરે જણાવ્યું છે કે “લાટ એ મહી અને કાંકણુ વચ્ચેનો પ્રદેશ, જેને હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત કહેવાય છે તે છે. ” તેણે એ પણ બતાવ્યું છે કે ગોવિંદ ૩ જાએ લાટ ઘેડા સમય પહેલાં જ જિત્યો હતો. ગોવિંદ ૩ જાએ ગુર્જર રાજાને જિત્યાની હકીકત વાણિનાં શક ૭૨૮ ના વ્યાસ સંવત્સર ના વૈશાખની પૂર્ણિમાના દાનપત્રમાં આપી નથી, જ્યારે તે રાધનપુરના શક ૭૨૯ ના સર્વજિત સંવત્સરના શ્રાવણની પૂર્ણિમાના લેખમાં આપી છે. આથી અનુમાન થઈ શકે છે કે ગોવિંદ ૩ જાએ ગુર્જરે, જેનો અર્થ છે. બુલડર અણહિલવાડના ચાપોત્કટે અથવા ચાવડાઓ કરે છે, તેને આ બે તારીખ વચ્ચેના સમયમાં જિત્યા હતા, અને તેઓના બહારને લાટ પ્રદેશ જોડી દીધો હતો એટલે કે આ લેખની તારીખ પહેલાં પાંચ વર્ષ આમ બન્યું હતું. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy