SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोविन्द ४ थानां खंभातनां ताम्रपत्रो १३९ પાછળથી તેને ધર્મપાલે હરાવ્યો અને કાન્યકુજના રાજાને ફરી ગાદી ઉપર બેસાર્યો. આ તામ્રપત્રમાં કાન્યકુજના રાજાનું નામ ક્ષિતિપાલ અથવા મહીપાલ આપેલ છે, અને તે ચાંદેલા રાજા હર્ષવર્ધનની મદદથી પાછો ગાદીએ આવ્યો. આ ઉપરથી એમ સંભવ છે કે કાન્યકુશ્વના રાજાને ફરી ગાદી ઉપર બેસારવામાં હર્ષવર્ધન તેમ જ ધર્મપાલ એ બનેને હાથ હોય. ભાગલપુરના તામ્રપત્રમાં જે કાન્યકુજના રાજાને ઇન્દ્ર હરાવ્યું તેનું નામ ચકાયુધ આ. પિલું છે. નવસારીનાં તામ્રપત્રોમાં ઈન્દ્ર ઉપેન્દ્રને હરાવ્યું એમ આપેલ છે તેથી એમ સંભવે છે કે ક્ષિતિપાલનાં બિરૂદ તરીકે ચકાયુધ અને ઉપેન્દ્ર શબ્દ હોવા જોઈએ. વળી આ તામ્રપત્ર ઉપરથી એમ પણું સિદ્ધ થાય છે કે કનિંગહામ અને પ્રો. કીન્હા ધારે છે તેમ ધર્મપાલ ૯ મી સદીની શરૂવાતમાં નહીં, પણ દશમી સદીની શરૂવાતમાં રાજ્ય કરતે હો જોઈએ. દેવપાલદેવના મુંગીરના તામ્રપત્રમાં ધર્મપાલ રાષ્ટ્રકૂટ શ્રી પરવલની દીકરી રણુદેવીન પર એમ આપેલ છે. પ્રો. કહોને શ્રી પરવલને શ્રી વલ્લભ તરીકે સુધારે છે. તેથી ધર્મપાલને સસરો કૃષ્ણ બીજો હા જોઈએ. (ઈન્દ્ર ૩ જ હોય નહીં, કારણું તે સસરાજમાઈ આમ લડે નહીં.) શ્લોક ૨) ઈન્દ્ર ત્રિીજો હૈડય અગર ચેદી વંશની વિજાખાને પરણ્યો. તેનાથી ગોવિંદ જ જન્મે. તેનું સ્વરૂપ કામદેવથી પણ અધિક હતું. ( ક. ૨૧) શ્લેક ૨૨ માં ગોવિંદ જ થાના કરેલા બચાવ ઉપરથી તેમ જ દેવળી, કરહાડ અને ખારપાટણના તામ્રપત્રોમાં ગોવિંદ ૪ થાનું જે વર્ણન આપ્યું છે તે ઉપરથી સમજાય છે કે (૧) ગવદ ૪ થો વિષયી રાજા હતો. (૨) તેની પ્રજા તથા ભાયાતે નારાજ થયા અને અરિકેશરિન બીજા વિગેરેએ બંડ ઉઠાવ્યું અને વદને માર્યો અને તેના કાકા અમેઘવર્ષને ગાદીએ બેસવા વિનતિ કરી. વળી તેમાં લખ્યું છે કે તે પિતાના મોટાભાઈ પ્રત્યે ઘાતકી રીતે વો નહતો, પણ તે મેટાભાઈ અમોઘવર્ષ (બીજા)ના રાજય કરવાના ટુક સમયને ખ્યાલ કરતાં એમ સંભવિત લાગે છે કે તેને ઘાતકી રીતે ગોવિંદ જ થાએ માર્યો હશે, અગર મરે એવી યુક્તિ પ્રયુક્તિ કરી હશે. શ્લેક રર ની છેલ્લી પંક્તિમાં ગેવિંદ ૪ થાને તેનાં પરાક્રમોને લીધે સાહસક કહ્યો છે અને બ્લેક ૨૩ માં આપેલ છે કે તેનું નામ પ્રભુતવર્ષ હતું. પણ સોનાનાં અનેક દાન આપવાથી તેનું ખરું નામ સુવર્ણવવું પડ્યું હતું. શ્લોક ૨૮ માં ગંગાયમુના તેના મેહેલમાં સેવા કરતાં, એમ લખ્યું છે, તેને અર્થ એમ લે જોઈએ કે ઉત્તરના કોઈ રાજાને હરાવીને ગંગા અને યમુનાનાં લાંછન પિતાના વજ ઉપર મેળવ્યાં હતાં. દાનપત્રમાંનાં સ્થળો પૈકી કેવજ તે હાલનું કિમજ અગર કિમજ છે. કાવિકા તે કવિ અને સહકગ્રામ તે હાલનું સિગામ અગર શીગામ છે. આ દાનપત્રમાં કાવિકાને મહાસ્થાન (પવિત્ર સ્થાન) લખ્યું છે તેથી તે ૧૦ દશમી સદીથી યાત્રાનું સ્થળ હેવું જોઈએ, દાનમાં અપાએલા કેવજને લાદેશના ખેડા પરગણુમાં આવેલું એમ લખ્યું છે તેથી લાટમાં ખેડાને સમાવેશ થતો હતો એમ અનુમાન થાય છે. ડે. બુલર અને ડે. ભગવાનલાલ ધારે છે તેમ લાટ મહી અને તાપી વચ્ચેનો જ પ્રદેશ નહીં, પણ ડો. હુશ ધારે છે તેમ ઉત્તરમાં શેરી અથવા શેઢી સુધીનો પ્રદેશ હવે જોઈએ. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy