SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૩૫ ગોવિંદ ૪થાનાં ખંભાતનાં તામ્રપત્રો શ. સ. ૮૫ર જયેષ્ટ સુ. ૧૦ સેમવાર આ તામ્રપત્રો ખંભાતને એક ખેડૂત હળ ખેડતો હતો ત્યારે ખેતરમાંથી મળેલાં હતાં. તે લાકડાની એક પેટીમાં હતાં. તે પિટી ઉખેળતાં તૂટી ગઈ. પછી આ તામ્રપત્ર પેટલાદના એક ગુજરાતીના કબજામાં આવ્યાં હતાં. તેની પાસેથી પ્રો. એ. વી. કાથવટેએ બહુ મહેનતથી મેળવ્યાં હતાં. પતરાં કુલ ત્રણ છે, અને તે ૧૩ ઇંચ લાંબાં અને ૧૦ઙ્ગ ઈંચ પહેલાં છે. અંદરના લખાણના રક્ષણ માટે કોર હેજ વાળી દીધેલી છે. પહેલા અને ત્રીજા પતરાની એક અંદરની બાજુ એ અને વચલા પતરાની બન્ને બાજુએ લેખ કતરેલ છે. ત્રીજા પતરાના નીચેના ખૂણુ તૂટી ગયા છે, તેથી છેડા અક્ષરે ગુમ થયા છે, તે પણ એકંદર લેખ સુરક્ષિત છે. પતરાંની એક બાજુએ કાણુમાંથી પસાર થતી ઇંચ જાડી અને ૪ ઇંચ વ્યાસવાળી ગોળ કડીથી તે બાંધેલાં છે. કડીના છેડા ઉપર ૨ ઇંચ ઉંચી અને પહેલી સીલ છે. તેમાં જરા નીચે પડતી સપાટી ઉપર ગરૂડનું ઉપડતું ચિત્ર છે. ગરૂડ સમુખ પાંખ પહેાળી કરીને બેઠેલો છે, અને તેનું નાક ચાંચના જેવું છે. તેના દરેક હાથમાં સર્પ છે. ગરૂડની જમણી બાજુએ ઉપરના ખૂણામાં ગણપતિનું, અને નીચે ચમર અને દીવાનાં ચિત્ર છે. ડાબી બાજુએ કઈ પ્રાણ ઉપર બેઠેલી દેવી અને તેની નીચે સ્વસ્તિક છે. કાર ઉપર ફરતાં આયુધ્ધનાં ચિત્ર છે, જેમાંના ખડ્ઝ, બાણ, અને વજ સ્પષ્ટ ઓળખી શકાય છે. ગરૂડની નીચે અક્ષરો હતા, પણ અત્યારે ઘસાઈ ગયા છે. કોતરકામ સારી રીતે કરવું છે. લિપિ ૧૦ મી સદીનાં બીજું તામ્રપત્ર ઉપરની લિપિને મળતી છે. અક્ષરનું સરેરાશ કદ ૩ ઇંચ છે. ભાષા સંસ્કૃત છે. શરૂવાતના ઓ અને સ્વસ્તિ સિવાય પહેલેથી પંક્તિ ૩૮ પર્યત બધો ભાગ પદામાં છે, અને બાકીને ભાગ છેલા મહાભારતાદિના લેક, તથા લેખના નામના લેક સિવાય ગવમાં છે. શરૂવાતના ત્રણ તથા વંશાવલીના બે સિવાય બધા લેકો આજ રાજાનાં સાંગલિનાં તામ્રપત્રોમાં છે. ( ૫. ૪૦-૪૨ ) પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી નિત્યવર્ષ એટલે કે ઈન્દ્ર ૩ જાનાં ચરણુનું ધ્યાન ધરનાર ૫. મ. પ. શ્રી સુવર્ણવર્ણદેવ પૃથ્વીવલભ, શ્રી વલભનરેન્દ્રદેવ એટલે કે રાષ્ટ્રકૂટ ગોવિંદ ૪ થા ને આ લેખ છે. (૫. ૪૬) દાન અપાયું ત્યારે પરબન્ધના ઉત્સવ સબબ ગેવિંદરાજ પિતાની રાજધાની માન્યખેટ છેડીને ગોદાવરીના કાંઠા ઉપરના કપિત્થક ગામે ગયે હતો (૫. ૪૬-૪૯) ત્યારે તેણે પિતાની સેનાની તુલા કરાવી હતી અને તે વખે તેણે ૬૦૦ અગ્રહાર, ૩ લાખ સુવર્ણ, મંદિરને ૮૦૦ ગામે, ચાર લાખ સુવર્ણ અને ૩૨ લાખ દ્રમ આપ્યાં હતાં. (પં. પર-૫૪) પછી તેણે લાટ પ્રદેશમાં ખેટક પરગણુમાં કાવિકા તીર્થ પાસેનું કેવડજ ગામ દાનમાં આપ્યું હતું. આ દાનની નેંધ લેવા આ તામ્રપત્ર કોતરાયું છે. (૫. ૫૧પર) દાન લેનાર માથર શેત્રને, વાજિ કાવ શાખાને મહાદેવય્યને પુત્ર નાગમાર્ય નામને બ્રાહ્મણ હતા. તે માન્યખેટમાં ગોવિદ ૪ થાનાં ચરણે જીવતો હતો અને મૂળ કાવિકા ને રહીશ હતો. પં. ૪૪-૪૬ દાનની તિથિ નીચે મુજબ છે. શ. સં. ૮૫ર ખર સંવત્સર સુ. ૧૦ સેમવાર હસ્ત નક્ષત્ર. આની બરાબર ડે. કલહને ગણત્રી કરતાં ઈ. સ. ૯૩૦ ની ૧૦ મી મે ને સોમવાર બરાબર આવે છે. ૧ એ. ઈ. ધો. ૭ પા. ૨૬ ડો. ડી. આર. ભાંડારકર. છે. ૪૨ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy