SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org નં૦ ૧૩૩-૧૩૪ ઇન્દ્રરાજ ત્રીજાનાં બે દાનપત્રા' શ. સ. ૮૩૬ ફાલ્ગુન સુ. ૭ આ તામ્રપત્રાની નોંધ પહેલાં એચ. એચ. ધ્રુવે લીધી હતી અને ત્યાર બાદ જ એ. છે. રા. એ. સા. વે. ૧૮ પા. ૬૫૩ મે ડૉ. આર. જી. ભાંડારકરે શિલાછાપ સહિત તે પ્રસિદ્ધ કર્યાં હતાં. ત્યાર બા↑ અચાનક મેં તે વડોદરા મ્યુઝીયમમાં જોયાં અને પ્રે. હુલ્થની સૂચના અનુસાર મૂળ પતરાં મેળવીને પ્રસિદ્ધ કરૂં છું. પતરાંની સાથે એ સીલેા વડોદરાના રેસીડન્ટ મેાકલી હતી પણ તે છૂટી હતી તે પ્રત્યેક તામ્રપત્ર સાથે જોડી શકાય તેમ નહેાતી. પતરાંનું માપ ૧૩ ઇંચ×૯ ઇંચ છે. સીલની કડી છૂટી પડી ગઈ હતી. તે ૢ ઇંચ જાડી છે અને તેનેા વ્યાસ =} ઇંચ છે. સીલમા સર્પ ઉપર બેઠેલા ગરૂડનું ચિત્ર છે. સર્પ કમરે વીંટાઈ ગએલા છે અને તેની શુ હાથમાં છે. તેના જનેાઇ જેવું દેખાય છે તે કદાચ ત્રીજો સર્પ હાય. ગરૂડ સન્મુખ બેઠેલે છે અને તેની જમણી બાજુએ ઉપરના ખૂગામાં ગણપતિ છે અને નીચે ચમર અને તેની નીચે દીવે છે. ડાબી બાજી ઉપલા ખણુામાં સિંહુ ઉપર બેઠેલી દેવી છે અને સિહુ નીચે ચમર અને તે ઉપર સ્વસ્તિક છે. ગરૂડના માથાની બન્ને માજી વર્તુલ છે, જે સૂર્યચંદ્ર માટે હોય એમ અનુમાન થાય છે. ગરૂડની નીચે લેખ સ્પષ્ટ નથી, પણ તે શ્રીમત્રિણ દેવસ્ય હાય એમ જણાય છે. સીલની કાર ઉપર નૃદાં જૂદાં ચિહ્ન છે. જેમાં લિંગ અને અંકુશ ઓળખી શકાય છે. નાનીસોલ જે ૧-ઇંચ×૧૨ ઇંચ છે તેના ઉપર પણ ચિહ્ન છે પણ તે સ્પષ્ટ નથી. સર્પ, ગણપતિ, દૈવી, દીવા, સ્વસ્તિક વિગેરે આમાં પણુ જોવામાં આવે છે. કડીનું માપ પણ તે જ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એચ. એચ. ધ્રુવ લખે છે કે પશુમરાના મુલજી ખુશાલ પટેલના નાકર દુબળા ખેતરમાં હળ ખેડતા હતા ત્યારે આ પતરાં નીકળ્યાં હતાં. તેથી પ્રે. કીÈાન પ્રથમ જણાવ્યું હતું તે મુજબ આ પતરાંને ગુમરાનાં પતરાં તરીકે નવસારીનાં તરીકે નહીં ) એાળખા વવાં જોઈએ. દરેક જોડીમાં ત્રણ ત્રણ પતરાં છે અને તે ૧૩ ઇંચ લાખાં અને ૯ ઇંચ પહેાળાં છે. પહેલા અને ત્રીજાં પતરાં માત્ર અંદરની એક જ બાજુએ અને વચલાં પતરાં બન્ને બાજુએ કેાતરેલાં છે. કાતર કામ સ્પષ્ટ અને સભાળપૂર્વક કરાયેલું છે. લિપિ ઉત્તર વિભાગની લિપિને મળતી છે. ભાષા સળંગ સંસ્કૃત છે. • એ ઇ. તા. ૯ મા. ૨૪ ૩ ડી. અન્ને જોડીમાં રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્ર ૩ જાએ બ્રાહ્મણને ગામ દાનમાં આપ્યાની હકીકત આપી છે. ઇન્દ્ર ત્રીજાને બીજા તામ્રપત્રની પં. ૪૩-૪૫ માં પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી અકાલવર્ષ દૈવ એટલે કે પોતાના દાદા કૃષ્ણ બીજાના પગનું ધ્યાન ધરનાર પ. મ. પુ. શ્રી નિત્યવર્ષ નરેન્દ્રદેવ તરીકે વર્ણવ્યા છે. દાન અપાયું ત્યારે ઇન્દ્ર ત્રીજો પટ્ટબન્ધ ઉત્સવ માટે પેાતાની રાજધાની માન્યખેટ છેડીને કુન્ડક ગયા હતા. તે પ્રસંગે સેાનાથી પેાતાનું વજન કરાવ્યું હતું અને ત્રાજવામાંથી ઉતર્યાં વિના ર૦ લાખ દ્રમનું તથા કુરૂન્ડક અને બીનં ગામ ડાનું દાન કર્યુ. તેમ જ આગલા રાજાએએ આપેલાં દાનને અનુમેદન આપ્યું અને છેવટે તેના નામના ગામડાનું દાન ખીજા તામ્રપત્રમાં લખ્યા મુજમ્ મૂળ પાટલીપુત્રના રહીશ લક્ષ્મણ બાર ભાંગરકર. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy